અમદાવાદ, તા 12 સપ્ટેમ્બર, 2018, બુધવાર
ભુજની પાલારા જેલમાં રાખવામાં આવેલા ચકચારી નલિયાકાંડના આરોપીઓને વિશેષ સવલતો આપીને શાહી સરભરા કરાતી હોવાના આક્ષેપ સાથે જેલના જ પ૦ જેટલા કેદીઓના નામની સહી સાથે જેલોના આઈજીને પાઠવાયેલા પત્રની વિગતો બહાર આવતા રાજ્યનો ગૃહ વિભાગ ચોંકી ઉઠયો છે. તાથા આ મામલે તપાસનો આદેશ કરાયો છે.
ગુજરાતભરમાં ચકચાર જગાવનાર કચ્છના નલિયા સેક્સકાંડમાં આઠેક જેટલા શખ્સોની ધરપકડ કરીને ભુજની પાલારા જેલમાં રાખવામાં આવ્યા છે. આ શખ્સોને પરિવારને મળવા સહિતની સુવિાધા જેલ તંત્ર દ્વારા કરી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે જેલના પ૦ જેટલા કેદીઓના નામ અને સહી સાથે જેલોના આઈજીને પાઠવાયેલા પત્રને લઈને રાજ્યનો ગૃહવિભાગ ચોંકી ઉઠયો છે. તેમજ આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. જેના પગલે અમદાવાદના સિનિયર જેલર તાથા ભુજ ડીવાય.એસ.પી. દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તેમણે બે વખત જેલની મૂલાકાત લઈને સિૃથતિનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ રજીસ્ટરની તપાસ કરીને અહી આવતા મૂલાકાતીઓના નિવેદન લેવામાં આવ્યા છે.
હવે આક્ષેપો કરનાર કેદીઓના નિવેદન પણ લેવામાં આવશે. તાથા પત્રના આક્ષેપ મુજબ સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવશે. જો કે પોલીસની આ તપાસમાં કંઈ બહાર આવે છે કે કેમ? તેના તરફ લોકોની મીટ મંડાઈ છે.


