Gujarat
ભારત રત્ન લત્તા મંગેશકરના નિધનને લઈને રાષ્ટ્રીય શોક: જિલ્લા કલેકટર કચેરીએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો
By GS Team
7 Feb 20221 min read
This article was originally published on 7 Feb 2022

જામનગર, તા. 07
ભારતરત્ન સન્માનિત લતા મંગેશકરનું ગઈકાલે 92 વર્ષની વયે બિમારી પછી નિધન થયું હોવાથી ભારત સરકાર દ્વારા બે દિવસ માટે નો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર જામનગરમાં પણ શોક પાડવામાં આવ્યો હતો.
જામનગરની જિલ્લા કલેકટર કચેરીએ આજે સોમવારે ઉઘડતી ઓફિસે રાષ્ટ્રીય ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે, અને લતા દીદી ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.




