Gujarat

જામનગરમાં આફ્રિકન કન્ટ્રી તરફથી આવેલા નાગરિકે કોરોનાની વેક્સિન ના બન્ને ડોઝ લીધા પછી પણ સંક્રમિત થયા

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
જામનગરમાં આફ્રિકન કન્ટ્રી તરફથી આવેલા નાગરિકે કોરોનાની વેક્સિન ના બન્ને ડોઝ લીધા પછી પણ સંક્રમિત થયા

 જામનગર તા ૩, 

 જામનગરના મોરકંડા રોડ પરના ૭૨ વર્ષીય નાગરિક કેજેઓ કોરોના સંક્રમિત બની ગયા છે, અને તેઓને કોરોના ના નવા એમીક્રોન વેરિયન્ટ ના શંકાસ્પદ દર્દી ગણવામાં આવ્યા છે. જે દર્દી ની પૂછપરછ દરમિયાન તેઓએ ઝિમ્બાબ્વેમાં કોરોનાવાયરસ થી બચવા માટેની વેક્સિન ના બન્ને  ડોઝ મેળવી લીધા છે, ત્યાર પછી તેઓ અહીં જામનગર આવ્યા છે.

 તેમ છતાં પણ કોરોના સંક્રમિત થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેથી ચિંતા પ્રસરી છે. જામનગરનું આરોગ્યતંત્ર જે મામલે વધુ તપાસ કરી રહ્યું છે. સાથોસાથ કોરોના સંક્રમિત દર્દીના પરિવારજનો તેમજ તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ 

ના કોરોના ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.