Jamnagar

જામજોધપુરમાં માનસિક તણાવથી કંટાળી પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના જામજોધપુર નજીક ન્યારા પેટ્રોલ પંપ સામે રેલવે ટ્રેક પર 54 વર્ષીય વનિતાબેન વાઘિયાએ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કર્યો. મેલાણ ગામના વનિતાબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતા. તેમણે 4 વર્ષ દવા લીધી હતી, પણ 2 વર્ષથી બંધ કરી દીધી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરમાં માનસિક તણાવથી કંટાળી પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Jamnagar Crime : જામનગર જિલ્લાના જામજોધપુર નજીક ન્યારા પેટ્રોલ પંપ સામેના રેલવે ટ્રેક પર 54 વર્ષીય પરિણીતાએ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવી લેતાં અરેરાટી ફેલાઈ હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, મેલાણ ગામના વાડી વિસ્તારમાં રહેતા વનીતાબેન જીવનભાઇ વાઘિયા (ઉં.વ.54) છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતા હતા. તેઓ અગાઉ આશરે ચાર વર્ષ સુધી માનસિક બીમારીની દવા લેતા હતા, પરંતુ છેલ્લા બે વર્ષથી તેમણે પોતાની રીતે દવા લેવાનું બંધ કરી દીધું હતું.
દરમિયાન તા. 7 ઓગસ્ટના રોજ બપોરે 11.55 વાગ્યા પહેલાંના કોઇ સમયે જામજોધપુરના ન્યારા પેટ્રોલ પંપની સામે આવેલા રેલવે ટ્રેક પર વનીતાબેને માનસિક તણાવથી કંટાળી ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતાં પરિવારજનો તથા પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતકના પુત્ર રૂપેશભાઇ જીવનભાઇ વાઘિયાએ જામજોધપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.