Jamnagar

કાલાવડ તાલુકના જીવાપરમાં જંતુનાશક દવાની ઝેરી અસરથી ખેડૂતનું અપમૃત્યુ

By GS Team
16 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના કાલાવડ તાલુકાના જીવાપર ગામે 4 ઓગસ્ટે ગીરધરભાઈ ફળદુ (ઉ.વ. 45) કપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા. તે દરમિયાન દવાની ઝેરી અસર થતા તેઓ બેભાન થયા હતા. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં તેમનું મૃત્યુ થયું. આ અંગે કાલાવડ ટાઉન પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ તાલુકના જીવાપરમાં જંતુનાશક દવાની ઝેરી અસરથી ખેડૂતનું અપમૃત્યુ

Jamnagar: કાલાવડ તાલુકાના જીવાપર ગામે કપાસના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વેળાએ ઝેરી અસર થતાં ખેડૂતની તબિયત લથડી હતી. સારવાર દરમિયાન ખેડૂતનું મોત નીપજતાં કાલાવડ ટાઉન પોલીસમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, જીવાપર ગામના ગીરધરભાઇ વેલજીભાઇ ફળદુ (ઉ.વ.45), તા.4 ઓગસ્ટના રોજ પોતાની વાડીએ વાવેલા કપાસના પાકમાં ‘પ્રોફેનો ફોર્સ’ નામની જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન દવાની ઝેરી અસર થતાં તેઓ બેભાન થઇ ગયા હતા.

બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે તેમના પિતા વેલજીભાઇ ગંગદાસભાઇ ફળદુએ કાલાવડ ટાઉન પોલીસમાં જાણ કરતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ એ.ડી. નોંધ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એસ. જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.