Jamnagar

જામનગરના મુંગણી ગામે પાણીના મુદ્દે તકરાર બાદ દલિત શ્રમિક પર પટ્ટાથી હુમલો : એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
જામનગરના મુંગણી ગામે નળના પાણી મુદ્દે તકરાર થતાં શ્રમિકને માર મારવામાં આવ્યો. દીપકસિંહ કંચવાએ દેવજીભાઈ પરમારને જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી પટ્ટા વડે માર માર્યો હતો. સિક્કા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે કલમ 115(2), 352 સહિતની કલમો લગાડી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના મુંગણી ગામે પાણીના મુદ્દે તકરાર બાદ દલિત શ્રમિક પર પટ્ટાથી હુમલો  : એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

Jamnagar Crime : જામનગર તાલુકાના મુંગણી ગામે પૂરતું નળનું પાણી ન આવવાના મુદ્દે થયેલી તકરાર બાદ એક શ્રમિકને જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી પટ્ટાથી માર માર્યાના આક્ષેપ સાથે સિક્કા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મુંગણી ગામના નવા પ્લોટ વિસ્તારમાં પાણીના ટાંકાની પાસે રહેતા અને મજૂરી કામ કરતા દેવજીભાઈ માલાભાઈ પરમાર (ઉ.વ. 50)ની ફરિયાદ મુજબ, આરોપી દીપકસિંહ હરૂભા કંચવા (રહે. મુંગણી ગામ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ આરોપીના ઘર પાસે પૂરતું નળનું પાણી ન આવવાના મુદ્દે અગાઉ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તા. 23 ઓગસ્ટના રોજ સવારે ફરીયાદીને ફોન કરીને પાણીના ટાંકાની પાસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બોલાચાલી દરમિયાન જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીએ પોતાના પેન્ટનો પટ્ટો કાઢી ફરીયાદીના શરીરે માર મારતા ઇજા પહોંચાડ્યાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે સિક્કા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર), 3(1)(એસ) અને 3(2)(5) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.