Jamnagar

જામનગરમાં પેટમાં દુખાવાની સારવાર દરમિયાન 30 વર્ષીય યુવાનનું અપમૃત્યુ

By GS Team
5 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સંજયસિંહ ચુડાસમાનું પેટમાં દુખાવાની સારવાર દરમિયાન જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. 1 સપ્ટેમ્બરે સવારે દુખાવો ઉપડ્યા બાદ તેમને જી.જી. અને સમર્પણ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. 2 સપ્ટેમ્બરે તેમનું નિધન થયું. સીટી-સી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં પેટમાં દુખાવાની સારવાર દરમિયાન 30 વર્ષીય યુવાનનું અપમૃત્યુ

Jamnagar News : જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવાનનું પેટમાં દુખાવાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સીટી-સી ડિવિઝન પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ગોકુલનગર-2 વિસ્તારમાં રહેતા સંજયસિંહ ભીખુભા ચુડાસમા (ઉ.વ.30)ને તા.1 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે આઠ વાગ્યે પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. ત્યારબાદ સમર્પણ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે ફરી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન તા.2 સપ્ટેમ્બરના રોજ સવારે 11:35 વાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલની જાણના આધારે તા.4 સપ્ટેમ્બરે સીટી-સી ડિવિઝન પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.