World

અમે સારા સંબંધ ઈચ્છીએ છીએ પણ...: મોહમ્મદ યુનુસે ફરી ભારતને બતાવી આંખ

By GS Team
9 Sep 20242 mins read
This article was originally published on 9 Sep 2024
TukuTouch Logo
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી પરંતુ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અકડ બતાવી રહ્યાં છે. રવિવારે મોહમ્મદ યુનુસે કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે સારા સંબંધ ઈચ્છે છે પરંતુ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવો જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

અમે સારા સંબંધ ઈચ્છીએ છીએ પણ...: મોહમ્મદ યુનુસે ફરી ભારતને બતાવી આંખ

Image: Facebook

Muhammad Yunus on India Bangladesh Relations: બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર પડ્યા બાદ સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી પરંતુ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અકડ બતાવી રહ્યાં છે. રવિવારે મોહમ્મદ યુનુસે કહ્યું કે તેમનો દેશ ભારતની સાથે સારા સંબંધ ઈચ્છે છે પરંતુ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવો જોઈએ. મોહમ્મદ યુનુસે આ ટિપ્પણી તે વિદ્યાર્થીઓ સાથે એક બેઠક દરમિયાન કરી જેમણે ગયા મહિને આંદોલનમાં ભાગ લીધો હતો અને શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું. 

મોહમ્મદ યુનુસ પોતાના ભાષણોમાં સતત આકરું વલણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે ભારતે આ વિચાર ત્યાગી દેવો જોઈએ કે શેખ હસીના જ બાંગ્લાદેશમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે છે. મુખ્ય સલાહકારના વિશેષ સહાયક મહફૂઝ આલમે મોહમ્મદ યુનુસના હવાલાથી કહ્યું, 'આપણે ભારતની સાથે સારા સંબંધ રાખવાની જરૂર છે પરંતુ આ સંબંધ સમાનતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવા જોઈએ.'

બેઠકથી નીકળ્યા બાદ મહફૂઝે કહ્યું, મુખ્ય સલાહકારે કહ્યું છે કે બાંગ્લાદેશ પોતાના પાડોશીઓની સાથે સંબંધ જાળવી રાખવામાં સમાનતા અને આંતરિક સન્માનને હંમેશા મહત્વ આપતો રહ્યો છે. આ દરમિયાન તેમણે પ્રાદેશિક સહકાર માટે દક્ષિણ એશિયન એસોસિએશન (સાર્સ)ને બીજી વખત શરૂ કરવા પર જોર આપ્યું. 

મોહમ્મદ યુનુસ અમેરિકા સમર્થક

બાંગ્લાદેશમાં કોટા સિસ્ટમ વિરુદ્ધ શરૂ થયેલો સંઘર્ષ પોતાના અંતિમ તબક્કામાં હિંસક થઈ ગયો હતો. સરકાર વિરોધી પ્રદર્શન બાદ 5 ઓગસ્ટે શેખ હસીના રાજીનામું આપવા માટે મજબૂર થઈ ગયા અને દેશ છોડીને ભારત આવી ગયાં. શેખ હસીનાના રાજીનામાના થોડા દિવસ બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી, જેના પ્રમુખ મોહમ્મદ યુનુસને બનાવાયા. મોહમ્મદ યુનુસને અમેરિકી પસંદ વાળા નેતા માનવામાં આવે છે. શેખ હસીના પણ દાવો કરી ચૂક્યા છે કે તેમને પદથી હટાવવા માટે અમેરિકાએ ષડયંત્ર રચ્યું હતું. આ સિવાય ઘણા અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી અધિકારીઓએ બાંગ્લાદેશમાં આંદોલનને હવા આપી.

તૌહીદ હુસૈને રાજનાથ સિંહના નિવેદન પર શું કહ્યું? 

ગયા અઠવાડિયે પણ મોહમ્મદ યુનુસ ભારતની સાથે સારા સંબંધની વકાલત કરી ચૂક્યા છે, પરંતુ આ દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે ભારતે આ વિચાર ત્યાગી દેવો જોઈએ કે બાંગ્લાદેશમાં માત્ર શેખ હસીના જ શાંતિ અને સ્થિરતા લાવી શકે છે. આ દરમિયાન બાંગ્લાદેશના વિદેશી મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના એક નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેમણે એ વાત પર જોર આપ્યું કે બંને પાડોશીઓની વચ્ચે તેમને તાત્કાલિક કોઈ સંઘર્ષનું કોઈ જોખમ નજર આવતું નથી. રાજનાથ સિંહે ગુરુવારે યુક્રેન-ગાઝા સંઘર્ષની સાથે બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિઓનું વિશ્લેષણ કરવાના આદેશ આપ્યા હતાં, જેનાથી ભવિષ્યની કોઈ પણ સમસ્યાનું અનુમાન લગાવી શકાય.