World

'..તો એક પણ ઈરાની ઓઈલ જહાજ નહીં બચે', અમેરિકાના સંરક્ષણ મંત્રીની તહેરાનને ધમકી

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે હોર્મુઝમાં ઈરાનને મોટી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો ઈરાન અમેરિકી નૌકાદળના જહાજો પર હુમલો કરશે તો અમેરિકા ઈરાનના ઓઈલ ટેન્કરોને નષ્ટ કરીને સમુદ્રમાં ડુબાડી દેશે. 3 ઈરાની ટેન્કરો પર અમેરિકી હુમલા બાદ આ ચેતવણી અપાઈ છે. ઈરાને પણ અમેરિકી જહાજો પર હુમલાની ધમકી આપતા તણાવ વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'..તો એક પણ ઈરાની ઓઈલ જહાજ નહીં બચે', અમેરિકાના સંરક્ષણ મંત્રીની તહેરાનને ધમકી

US Defence Secretary Pete Hegseth: હોર્મુઝમાં ઈરાન સાથે તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે તહેરાનને મોટી ધમકી આપી છે. તેમણે કહ્યું કે, જો તહેરાન અમેરિકી નૌકાદળના જહાજો પર હુમલો કરશે તો અમેરિકા ઈરાનના ઓઈલ ટેન્કરોને નષ્ટ કરીને તેમને સમુદ્રમાં ડુબાડી દેશે. હેગસેથના નિવેદન બાદ વોશિંગ્ટન અને તહેરાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. તેમણે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરના નિવેદનનો હવાલો આપ્યો હતો.

કૂપરે કહ્યું હતું કે, 'અમેરિકી જહાજો પર હુમલો કરવાની સ્થિતિમાં ઈરાને તેની આર્થિક કિંમત ચૂકવવી પડશે. અમેરિકા પોતાના સૈનિકોની સુરક્ષા કરવામાં કોઈ હિચકિચાટ નહીં બતાવશે. જરૂર પડ્યે ઈરાનના મર્યાદિત અને ખુલ્લી રીતે અસુરક્ષિત ઓઈલ ફ્લીટ (ઓઈલ ટેન્કરોના કાફલા)ને નષ્ટ કરી દેશે.'

હેગસેથે કહ્યું, 'આ બિલકુલ સરળ છે. જો ઈરાન અમેરિકી જહાજો પર ગોળીબાર કરે છે, તો અમે તેમના ઓઈલ ટેન્કરોને નષ્ટ કરી દઈશું અને ડુબાડી દઈશું. તેમણે અમેરિકી નેવી પર ગોળીબાર ન કરવો જોઈએ.'

ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરો પર હુમલો

આ ચેતવણી શનિવારે ત્રણ ઈરાની ઓઈલ ટેન્કરો પર અમેરિકી હુમલા બાદ આવી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા પ્રમાણે આમાંથી એક ટેન્કર ઈરાનના મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખર્ગ ટાપુ પાસે હતું.

CENTCOM એ કહ્યું કે આ હુમલા ઈરાનના IRGC તરફથી અમેરિકી નેવીના બે જહાજો પર બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવ્યા બાદ કરવામાં આવ્યા હતા. આ હુમલામાં કોઈ અમેરિકી કર્મચારી ઘાયલ નથી થયો.

આ પહેલા ઈરાને ફારસની ખાડી અને હોર્મુઝ આસપાસ મોજૂદ જહાજોને શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને ચેતવણી આપી હતી. IRGC એ કહ્યું કે, હોર્મુઝમાં બીજા માર્ગો પરથી પસાર થઈ રહેલા ત્રણ ઓઈલ ટેન્કરો અને અન્ય વિસ્તારોમાં ત્રણ વધારાના અમેરિકી જહાજોને નિશાન બનાવ્યા. જોકે ઈરાનના આ દાવાઓની અમેરિકા તરફથી પુષ્ટિ થઈ નથી.

ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો તેમના જહાજોને હેરાન કરવાનું અને અમેરિકી નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે, તો સૈન્ય જહાજો સામેના અમારા હુમલા પહેલા કરતાં વધુ ગંભીર હશે. તેનો દાયરો પણ વધી શકે છે.