World

ટ્રમ્પના બે શાંતિ દૂતને પુતિને ચોખ્ખા શબ્દોમાં કહ્યું- યુદ્ધ ખતમ કરવાનો મૂડ નથી, યુક્રેન સાથે સ્થિતિ મુશ્કેલ

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા રશિયન રાષ્ટ્રપતિ પુતિને અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને કુશનર સાથે મોસ્કોમાં મુલાકાત કરી હતી. પુતિને યુદ્ધની મુશ્કેલ સ્થિતિ સ્વીકારી, ટ્રમ્પના પ્રયાસોને બિરદાવ્યા. ક્રેમલિને શનિવાર મધરાતથી 3 દિવસ કીવ પર હુમલો રોકવાનો આદેશ આપ્યો, જે અમેરિકી દૂતોની યુક્રેન મુલાકાત સાથે સંકળાયેલો હતો. યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગો પર મતભેદો યથાવત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના બે શાંતિ દૂતને પુતિને ચોખ્ખા શબ્દોમાં કહ્યું- યુદ્ધ ખતમ કરવાનો મૂડ નથી, યુક્રેન સાથે સ્થિતિ મુશ્કેલ

Russia Ukraine War Updates : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પુતિને સ્વીકાર્યું હતું કે યુક્રેન યુદ્ધની સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. તેમણે કઠિન પરિસ્થિતિઓ છતાં યુદ્ધ ખતમ કરવાના ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પે સંઘર્ષના સમાધાનમાં પોતાનું યોગદાન આપવાનું બંધ કર્યું નથી.

ત્રણ દિવસના હુમલા રોકવા અંગે સહમતિ

વાતચીત પહેલાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે માહિતી આપી હતી કે પુતિને રશિયન સેનાને શનિવાર મધરાતથી ત્રણ દિવસ સુધી કીવ પર હુમલો ન કરવાનો આદેશ આપ્યો હતો. આ સમયગાળો અમેરિકી દૂતોની યુક્રેનની રાજધાનીની પ્રસ્તાવિત મુસાફરી સાથે જોડાયેલો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રવિવારની યુક્રેન મુસાફરી પહેલાં તેમણે વિટકોફ અને કુશનર સાથે વાતચીત કરી હતી અને કીવ પણ સોમવાર સુધી મોસ્કો પર હુમલા ન કરવા માટે તૈયાર છે.

યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગો પર મોટા મતભેદો

આ તમામ વાતચીતો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગોને લઈને જારી ગહન મતભેદો વચ્ચે થઈ રહી છે, જે બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનું સૌથી ઘાતક યુદ્ધ માનવામાં આવે છે. ક્રેમલિનના નજીકના એક સૂત્ર અનુસાર, પુતિન યુક્રેનના અતિરિક્ત ક્ષેત્રો પર કબજો કરવાના પોતાના લક્ષ્યને લઈને હજુ પણ દ્રઢ છે. મોસ્કોનું માનવું છે કે જ્યાં સુધી રશિયા ડોનેષ્ક ક્ષેત્રના શેષ હિસ્સા પર નિયંત્રણ હાંસલ નહીં કરી લે, ત્યાં સુધી મોરચા પર કોઈ સમજૂતીની સંભાવના નથી.

યુક્રેન દ્વારા શરતો ફગાવી દેવાઈ

બીજી બાજુ, યુક્રેને એવી તમામ માંગણીઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે, જેમાં તેના દ્વારા ભારે કિંમત ચૂકવીને બચાવેલા વિસ્તારોને છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. કીવનું માનવું છે કે આવી શરતો સ્વીકારવી તે સરેન્ડર કરવા સમાન ગણાશે, જેના કારણે શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.