US-Israel and Iran War LIVE: મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારની પુષ્ટિ બાદ હવે યુદ્ધની જ્વાળાઓ અન્ય દેશો સુધી પ્રસરી રહી છે. ઈરાકે પણ હવે આ જંગમાં ઝંપલાવ્યું છે.
US-Israel and Iran War LIVE UPDATES
ઈઝરાયલે ઈરાનના જોઈન્ટ આર્મી ફોર્સના હેડક્વાર્ટર પર હુમલાનો VIDEO શેર કર્યો
ઈઝરાયલના હુમલાથી તહેરાન ફરી ધણધણ્યું
24 કલાક વીતી જવા છતાં યુદ્ધ શાંત થતું નથી દેખાઈ રહ્યું. આજે પણ ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. ઈઝરાયલે કહ્યું કે અમે ઈરાનના હૃદય સમાન વિસ્તાર તહેરાનને ટારગેટ કરી રહ્યા છીએ.
ઇઝરાયલી પીએમ નેતન્યાહૂનું મોટું નિવેદન
નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાનના આતંકી શાસન વિરૂદ્ધ હુમલા થશે. હજુ હજારો હુમલા થશે. ઈરાનને જુલ્મથી આઝાદ કરાવીશું.
ઈરાનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
મસૂદ પેઝેશ્કિયને કહ્યું કે, તહેરાન બદલાને કાયદાકીય અધિકાર માને છે. તમામ સંભવ બદલાની કાર્યવાહી કરીશું.
સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધના ભરડામાં, ઓમાન બાકી રહી ગયું હતું ત્યાં પણ ઈરાને ડ્રોન ઝીંક્યા
અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર સંયુક્ત રીતે હુમલા બાદથી મધ્ય પૂર્વના દેશોમાં ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ગઈકાલે ઈરાને 8 જેટલા દેશો પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલા કર્યા હતા. જેમાં જોર્ડન, ઈઝરાયલ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન, યુએઈ અને ઇરાકનો સમાવેશ થતો હતો. જોકે મધ્ય પૂર્વમાં લગભગ ઓમાન જ રહી ગયો હતો જે આ યુદ્ધમાં મધ્યસ્થતા કરી રહ્યો હતો હવે તેના ઉપર પણ ઈરાન દ્વારા હુમલા કરી દેવામાં આવ્યા છે.
કરાચીમાં પોલીસની સાથે અથડામણમાં 12 લોકોના મોત
ખામેનેઈના મોત પર પાકિસ્તાનના કરાચીમાં અમેરિકન દૂતાવાસમાં પ્રદર્શન થયું. આ દરમિયાન પોલીસની સાથે પ્રદર્શનકારીઓની અથડામણ થઈ. જેમાં 12 લોકોના મોત થયા. સિંધના ગૃહમંત્રીએ આ મામલે રિપોર્ટ માંગ્યો છે અને કડક સુરક્ષાના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે, કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી. જણાવી દઈએ કે, કરાચીમાં અમેરિકન દૂતાવાસમાં ભારે તોડફોડ અને આગચંપીની ઘટના બની. ટોળાએ દૂતાવાસમાં ઘુસીને દૂતાવાસના કેટલાક ભાગમાં આગચંપી પણ કરી. ઈરાનમાં ખામેનેઈની હત્યા બાદ પાકિસ્તાનમાં ભારે પ્રદર્શન થઈ રહ્યા છે.
ઇઝરાયલના હુમલામાં ઈરાનના ચીફ ઓપ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવીનું મોત
IRNA એજન્સીનું કહેવું છે કે, શનિવારે ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના હુમલામાં ઈરાની આર્મીના ચીફ ઓફ સ્ટાફ અબ્દુલ રહીમ મૌસવી અને ડિફેન્સ મિનિસ્ટર અજીજ નસીરજાદેહ માર્યા ગયા.
એવો હુમલો કરીશું જે ક્યારેય જોયો નહીં હોય: ટ્રમ્પ
ઈરાનના હુમલા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાને હાલમાં કહ્યું છે કે તેઓ ખુબ મોટો હુમલો કરશે. પરંતુ સારું રહેશે કે તેઓ એવું ના કરે, કારણ કે જો તેઓ એવું કરશે તો અમે તેના પર એવો ભયંકર હુમલો કરીશું, જ પહેલા ક્યારેય નહીં જોયો હોય.
અમે ખામેનેઈના રસ્તાને વધુ મજબૂત કરીશું: ઈરાની સંસદ સ્પીકર
ખામેનેઈના મોત પર ઈરાની સંસદ સ્પીકર મોહમ્મદ બાધેર ગાલિબફનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ખામેનેઈ પાક્કા અને વફાદાર હતા. ઈરાનના રસ્તાને મજબૂતી અને પાક્કા ઈરાદાથી યથાવત્ રહેશે. અમે અમેરિકા અને ઇઝરાયલી દુશ્મનોને જણાવીએ છીએ કે તમે અમારી રેડ લાઈન પાર કરી છે અને તમારે તેની કિંમત ચૂકવવી પડશે. અમારી સેનાઓએ તમામ ઇઝરાયલી દુશ્મન સેન્ટર્સ અને US બેઝ પર હુમલો કર્યો છે અને અમારો હુમલો યથાવત્ રહેશે. ઈરાને હાલ માટે તૈયાર કરી લીધી છે અને અમે કમાન્ડરની શહીદી બાદ પણ તેના રસ્તે ચાલતા રહીશું.
દિલ્હીમાં ઈરાની એમ્બેસીએ પોતાનો ઝંડો અડધો ઝૂકાવ્યો
ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ દિલ્હીમાં ઈરાની એમ્બેસીએ પોતાનો ઝંડો અડધો ઝુકાવ્યો છે.
ઈરાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકોના મોત
ઈરાનમાં એક મિલિટ્રી હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. જેમાં 4 લોકોના મોત થયા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, આ ક્રેશ ઈરાનની રાજધાની તેહરાનથી 330 કિલોમીટર દક્ષિણમાં ઇસ્ફહાનના દોરચેહ શહેરમાં થયું. જેમાં જણાવાયું છે કે, ક્રેશમાં પાયલોટ અને કો-પાયલોટનું મોત થઈ ગયું.
દુબઈમાં ડ્રોનનો કાટમાળ પડતા 2 લોકો ઘાયલ
દુબઈની મીડિયા ઓફિસે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, એર ડિફેન્સ દ્વારા ઇન્ટરસેપ્ટ કરાયેલા ડ્રોનનો કાટમાળ દુબઈમાં 2 ઘરમાં પડ્યો, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા.
કરાચીમાં અમેરિકન દૂતાવાસ પર પર ટોળાનો હુમલો
ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના નિધન પર દુનિયાભરમાં રોષ ફેલાયો છે. ઠેર ઠેર અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના કરાચીમાં ભીડે અમેરિકન દૂતાવાસ પર હુમલો કરીને તોડફોડ મતાવી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાએ આગચંપી કરાઇ હોવાની પણ માહિતી સામે આવી છે.
ઈસ્ફહાનમાં લાખો લોકો દેખાવો કરવા માર્ગો પર ઉતર્યા
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનાઈના અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં મોત બાદ દેશભરમાં રોષ ફેલાયો છે. ઈસ્ફહાન સહિત અને શહેરોમાં લાખો લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તેમણે અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ નારેબાજી કરી હતી. હજારો લોકો ખામેનેઈની હત્યા પર માતમ મનાવી રહ્યા છે. વીડિયો ઇસ્ફહાનનો છે.
પશ્ચિમ એશિયામાં 27 અમેરિકન બેઝ પર ઈરાનનો પ્રચંડ હુમલો
IRGCએ આપેલી માહિતી અનુસાર સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ ઈરાની સેનાએ પશ્ચિમ એશિયામાં આવેલા અમેરિકાના 27 બેઝને નિશાન બનાવતા ભયાનક હુમલા શરૂ કર્યા છે.

ઈઝરાયલના જનરલ સ્ટાફની બિલ્ડિંગ પર મિસાઈલ હુમલો
સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મૃત્યુ પછી ઈરાને વધુ એકવાર આક્રમક હુમલા શરૂ કર્યા છે. ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયલના જનરલ સ્ટાફ બિલ્ડિંગ પર મિસાઈલ હુમલા બાદ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.

ઈરાકની એન્ટ્રી અને અમેરિકન બેઝ પર હુમલો
તાજા અહેવાલો મુજબ, ઈરાકની 'રેઝિસ્ટન્સ ફોર્સ' એ ઈરાકી કુર્દિસ્તાનના ઇરબિલમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવી હુમલા શરૂ કર્યા છે. ઈરાન પર થયેલા હુમલાના વિરોધમાં ઈરાકી દળોએ અમેરિકા સામે મોરચો ખોલ્યો છે.
ખામેનેઈના મોત બાદ ઈરાનમાં માતમ અને નવા સુપ્રીમ લીડરની વરણી
ઈરાની સ્ટેટ મીડિયા 'પ્રેસ ટીવી' એ ખામેનેઈના મોતની પુષ્ટિ કરી છે. તેહરાનના એંઘેલાબ સ્ક્વેર પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને શોક મનાવી રહ્યા છે. દેશમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. દરમિયાન, વચગાળાની લીડરશીપ કાઉન્સિલ (જેમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને ન્યાયતંત્રના વડા સામેલ છે) દેશની વ્યવસ્થા સંભાળશે. મજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ઈરાનનો વળતો પ્રહાર: અમેરિકી રડાર સિસ્ટમ તબાહ
ઈરાનના IRGC એ દાવો કર્યો છે કે તેમણે કતારમાં આવેલા અમેરિકાના અત્યંત આધુનિક $1.1 બિલિયનના રડાર સિસ્ટમને મિસાઈલ હુમલામાં સંપૂર્ણપણે તબાહ કરી દીધું છે. આ સિસ્ટમ 5,000 કિમી સુધીની રેન્જ ધરાવતી હતી. આ ઉપરાંત, ઈરાને દાવો કર્યો છે કે તેમના વળતા પ્રહારમાં સેંકડો અમેરિકી સૈનિકો માર્યા ગયા છે.
ભારત પર અસર: સેંકડો ફ્લાઈટ્સ રદ
મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે એરસ્પેસ બંધ થતા ભારતની નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મોટી જાહેરાત કરી છે. શનિવારે 410 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને રવિવારે વધુ 444 ફ્લાઈટ્સ રદ થવાની શક્યતા છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ મધ્ય પૂર્વના દેશોની તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી છે.
ઈઝરાયલમાં ભારતીયો માટે એડવાઈઝરી
ઈઝરાયલમાં રહેતા ભારતીય રાજદૂતે નાગરિકોને સ્થાનિક અધિકારીઓના નિર્દેશોનું પાલન કરવા અને બિનજરૂરી અવરજવર ટાળવા સૂચના આપી છે. હાલમાં એરસ્પેસ બંધ હોવાથી ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સરકાર સંકલન કરી રહી છે.


