Get The App

બાંગ્લાદેશમાં પાકિસ્તાની સંસદના સ્પીકરે જયશંકર સાથે મિલાવ્યો હાથ, યુનુસે શેર કરી તસવીર

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં પાકિસ્તાની સંસદના સ્પીકરે જયશંકર સાથે મિલાવ્યો હાથ, યુનુસે શેર કરી તસવીર 1 - image


S Jaishankar meets Pakistan National Assembly Speaker: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના સુપુર્દ-એ-ખાક (અંતિમ સંસ્કાર) કરાયા છે. તેમના અંતિમ સંસ્કાર ઢાકામાં થયા હતા. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાનના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા પહોંચ્યા હતા. વિદેશમંત્રી એસ. જયશંકરે ખાલિદા ઝિયાના પુત્ર અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી(BNP)ના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન સાથે મુલાકાત કરી. તેમણે શોક વ્યક્ત કર્યો અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર સોંપ્યો.

આ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી જયશંકરે ત્યાં હાજર એક વરિષ્ઠ પાકિસ્તાની રાજકારણી સાથે પણ મુલાકાત કરી હતી. આની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે.


જયશંકર કયા પાકિસ્તાની રાજકારણીને મળ્યા?

વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની રાજકારણી સરદાર અયાઝ સાદિક સાથે હાથ મિલાવ્યા, જે પાકિસ્તાન એસેમ્બલીના નેશનલ એમ્બેસી સ્પીકર છે. આ બંને નેતાઓ વચ્ચે બિનસત્તાવાર મુલાકાત હતી. તેમના પરસ્પર સંબંધો અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ ફોટોગ્રાફ્સ બંને દેશના વિદેશ મંત્રાલયો દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.

સરદાર અયાઝ સાદિક કોણ છે?

વિદેશ મંત્રી જયશંકર જે પાકિસ્તાની રાજકારણીને મળ્યા હતા તે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના નજીકના માનવામાં આવે છે. અયાઝે બાલાકોટ હુમલા અંગે તત્કાલીન પાકિસ્તાની વિદેશમંત્રી શાહ મહમૂદની પણ મજાક ઉડાવી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે મહમૂદે કહ્યું હતું કે જો ભારતીય પાયલોટ અભિનંદનને મુક્ત નહીં કરવામાં આવે તો ભારત હુમલો કરશે.