World

જિનપિંગના પરત ફર્યા બાદ ડ્રેગનનું મોટું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી ગતિવિધિ નહીં થવા દે!

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતે ચીન-વિરોધી પ્રવૃત્તિઓને જમીન પર મંજૂરી ન આપવાની ખાતરી આપી છે. બંને નેતાઓ સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પરસ્પર સહયોગી બનવા સંમત થયા. ભારત-ચીન વૈશ્વિક મંચ પર સહયોગ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિનપિંગના પરત ફર્યા બાદ ડ્રેગનનું મોટું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી ગતિવિધિ નહીં થવા દે!

M Modi Xi Jinping BRICS Summit : બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બેઠકને લઈને ચીનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે, ચીન સાથેના સંબંધોને લઈને ભારતનો દ્રષ્ટિકોણ કોઈ ત્રીજા પક્ષના પ્રભાવથી મુક્ત છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની જમીન પર કોઈને પણ ચીન-વિરોધી ગતિવિધિઓ કરવા દેશે નહીં.

એક-બીજાના સહયોગી બનવા પર બની સહમતિ

વડાપ્રધાન મોદી સાથેની બેઠકનો ઉલ્લેખ કરતા વાંગ યીએ કહ્યું કે બંને નેતાઓએ વ્યૂહાત્મક, દીર્ધકાલીન અને દિશા-નિર્દેશ આપતા મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે સૌથી મોટો મહત્ત્વપૂર્ણ નિર્ણય એ બન્યો કે ભારત અને ચીને એકબીજાના ભાગીદાર બનવું જોઈએ. રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું કે બંને દેશો એકબીજાની શક્તિઓનો લાભ લઈ શકે છે, સમર્થન કરી શકે છે અને સાથે મળીને વિકાસ સાધી શકે છે.

સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવાનો સંકલ્પ

ચીની વિદેશ મંત્રીએ જણાવ્યું કે બંને દેશોના નેતાઓ સરહદી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવા સહમત થયા છે. બંને પક્ષોએ પરસ્પર રાજકીય ભરોસાને વધુ મજબૂત કરવાનો, મતભેદો અને વિરોધાભાસને યોગ્ય રીતે ઉકેલવાનો તથા સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવાનો સંકલ્પ લીધો છે. વડાપ્રધાન મોદીએ પણ સ્પષ્ટ કર્યું કે ભારત ચીનનો દુશ્મન નહીં પરંતુ ભાગીદાર બનવા તૈયાર છે.

વૈશ્વિક મંચ પર સહયોગ અને વૈવિધ્યપૂર્ણ હિતો

ભારત અને ચીન બંને બ્રિક્સને ગ્લોબલ સાઉથ માટે એક મહત્ત્વપૂર્ણ મંચ માને છે. જો કે તેમની પ્રાથમિકતાઓમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ ક્લાયમેટ ચેન્જ, વિકાસ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, વૈશ્વિક વેપાર અને વિકાસશીલ દેશોના પ્રતિનિધિત્વ જેવા અનેક મુદ્દાઓ પર બંને દેશોના સમાન હિતો જોડાયેલા છે. સરહદના મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે પરસ્પર સન્માન અને સમજદારીની રાજકીય સૂઝબૂઝ અપનાવવાની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો છે.