Health
જાણો કયા કારણોથી નવજાત શિશુ થાય છે જીકા સિંડ્રોમનો શિકાર
By GS Team
21 Jan 20201 min read
This article was originally published on 21 Jan 2020

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2020, બુધવાર
નવજાત શીશુમાં જન્મજાત જોવા મળતા જીકા સિંડ્રોમના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. બાળકોમાં થતી આ સમસ્યાનું કારણ માતાઓનો ખરાબ આહાર હોવાનું સામે આવ્યું છે. જન્મજાત જીકા સિંડ્રોમ જીકા વાયરસ સાથે જોડાયેલા જન્મજાત સંક્રમણ સંબંધી વિકૃતિઓને સંદર્ભિત કરે છે. આ સિંડ્રોમના કારણે વ્યક્તિના જીવન પર ખરાબ પ્રભાવ પડે છે.
આ સિંડ્રોમમાં વિનાશકારી સ્થિતિઓ સર્જાય છે. જેમાં સ્મોલર અને અનફોલ્ડિડ મગજ, રેટિનલ અસામાન્યતાઓ, હૃદયના વધેલા વેંટ્રિકલ, મગજમાં ઈંટર હેમિસફેરિક કનેકશનની ખામીનો સમાવેશ થાય છે.
આ અધ્યયનમાં જાણવા મળ્યું કે જેડઆઈકેવી જન્મજાત સંક્રમણ કેટલાક કારણોના લીધે ભયાનક થઈ જાય છે. જેમાં પર્યાવરણીય સહકારક અને પ્રોટીનની ખામી મુખ્ય છે. આ વાયરસથી મગજ અને રક્ત વાહિકાઓના વિકાસ પ્રભાવિત થાય છે.




