Get The App

કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ 1 - image

વીજ અને પાણી કાપના કારણે લોકોની મૂશ્કેલી વધશે 

જેટકો અને ચિત્રા ઇએસઆર, ફુલસર જીએલઆર વિસ્તારમાં ર થી ૬ કલાક પાણી મોડુ આવશે  

ભાવનગર -  ભાવનગર શહેરમાં આગામી તા. ૭ મે-૨૦૨૬ ને ગુરૃવારના રોજ પીજીવીસીએલ દ્વારા મરામતની કામગીરી કરવાની હોવાથી ચિત્રા ફિલ્ટર ઉપર સવારે ૬.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી પીજીવીસીએલ દ્વારા વીજ કાપ આપેલ છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં પાણી મોડુ આવશે અને કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. 

ચિત્રા ફિલ્ટર પર તમામ પમ્પીંગ બંધ રહેવાનું હોવાથી વોટરવર્કસ વિભાગ દ્વારા વૈકલ્પિક આયોજન કરીને જે સપ્લાય પાવર શરૃ થયા બાદ આપી શકાય તેમ હોય તે આપવા માટેનું આયોજન કરી ચિત્રા ફિલ્ટર પરથી વીજ કાપને લીધે આપવાના થતા પાણી સપ્લાયના કાપના સમયમાં અંશતઃ ઘટાડો કરવામાં આવેલ છ, જે અનુસાર ગુરૃવારના રોજ કેટલાક વિસ્તારોમાં પાણી સપ્લાય કાપવાને બદલે મોડો આપવામાં આવશે. જેટકો ઈએસઆર આધારિત વિસ્તારમાં સવારે ૧૧ વાગ્યા પછીના વિસ્તારોમાં પાણી સપ્લાય તેના નિયત સમયથી અંદાજે ૨ થી ૩ કલાક મોડા રહેશે. ચિત્રા ઈએસઆર વિસ્તારના ચિત્રા ગામતળ, રાજનગર, મહાલક્ષ્મી સોસાયટી, એસ.ટી. સોસાયટી, મહેશ્વરી સોસાયટી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય તેના નિયત સમયથી અંદાજે ૫ થી ૬ કલાક મોડા રહેશે. ફુલસર જીએલઆર વિસ્તારના અંજલિપાર્ક, અમર પાર્ક, રામદેવનગર, સત્યમ-શિવમ-સુન્દરમ સોસાયટી, સ્વપ્નસાકાર ટાઉનશીપ, પ્રધાનમંત્રી આવાસ-૧૬, ૩૦, ૩૬, ફુલસર ગામતળ, કર્મચારીનગર, સુખશાંતિ સોસા., સ્લમ બોર્ડ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય તેના નિયત સમય થી અંદાજે ૫ થી ૬ કલાક મોડા રહેશે. 

ઉપરાંત ગુરૃવારે કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં જેટકો ઈએસઆર આધારિત વિસ્તારોમાં સવારે ૬ થી ૧૧ વાગ્યા વચ્ચેના સપ્લાય જેવા કે, મેપાનગર, સરિતા પેલેસ વિસ્તાર, ઝવેરભાઈની વાડી, શિવનગર, હરિઓમ નગર, પટેલ નગર, મિલેટ્રી સોસાયટી, સરિતા સોસાયટી, કુમુદવાડી વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. જયારે ચિત્રા ફિલ્ટર આધારિત અન્ય વિસ્તારો જેવા કે, કુંભારવાડા, હાદાનગર, ઇન્દીરાનગર જેવા વિસ્તારોમાં પાણી સપ્લાય તેના રાબેતા સમય મુજબ શરૃ રહેશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. વીજ અને પાણી કાપના કારણે લોકોની મૂશ્કેલી વધશે.