વડોદરા એસ.ટી. વિભાગની આવકના આંકડા પર નજર કરીએ તો ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઉપલબ્ધ માહિતી મુજબ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ દરમિયાન વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫૪.૮૨ કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાંએપ્રિલ ૨૦૨૫ થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી રૂ. ૧૪૫ કરોડની આવક નોંધાઈ છે.
આવકમાં નોંધપાત્ર વધારો ન થવાનો એક કારણ તરીકે ખાનગી વાહનોની વધતી સંખ્યા પણ માનવામાં આવે છે. નિગમ દ્વારા ભવિષ્યમાં મીની એસી બસોનો સમાવેશ કરવાની વિચારણા પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા વિભાગમાં હાલમાં ૪૨૫ એસટી બસો દોડે છે, જેમાં રોજ ૮૨ હજાર મુસાફરો મુસાફરી કરે છે.
આ ઉપરાંત વડોદરા એસ.ટી. વિભાગમાં ત્રણ મહિના અગાઉ ક્યુઆર કોડ આધારિત યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ સેવાની શરૂઆત કરાઈ હતી. ડજિટલ પેમેન્ટની સુવિધાથી એસ.ટી. વિભાગને રોજ રૂ. ૩ લાખ આવક ક્યુઆર કોડ મારફતે થઈ રહી છે. અગાઉ બસમાં મુસાફરી કરતી વખતે છુટ્ટા પૈસાને લઈને મુસાફરો અને કંડક્ટર વચ્ચે ઘણી વખત માથાકૂટ થતી હતી. જો કે, છેવાડાના ગામડાઓમાં કેટલીકવાર ઈન્ટરનેટ કનેક્ટિવિટીન હોવાને કારણે પેમેન્ટમાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદો મુસાફરો તરફથી કરવામાં આવે છે.
જ્યારે ડ્રાઈવરોની અછત ઘટાડવા માટે નિગમ દ્વારા વધુ ૩૭૮ નવા ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવતા વડોદરા એસટી વિભાગને હાશકારો થયો છે. અગાઉડ્રાઈવરની ખાલી જગ્યાઓના કારણે કેટલાક રૂટ ૫૨ બસ સેવા પ્રભાવિત થતી હતી. હાલમાં વડોદરા એસટી વિભાગમાં કુલ ૮૬૧ મંજૂર જગ્યાઓ સામે ૭૮૪ ડ્રાઈવરો કાર્યરત છે, જ્યારે હજુ પણ ૭૭ જગ્યાઓ ખાલી છે. નવા ડ્રાઈવરોની નિમણૂક થતાં હવે બસ સેવામાં સુધારો થવાની આશા વ્યક્ત કરાઈ છે.


