Get The App

ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
ગટરનું કનેક્શન 15 વર્ષે ગેરકાયદે જાહેર થતાં રહિશોની હાલત કફોડી 1 - image

- બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં

- બિલ્ડરે બોગસ એનઓસી આપ્યુ હતું : ચીફ ઓફિસરે 'ગેરકાયદેસર' જાહેર કરતા  હાલાકી

બગોદરા : નવજીવન પાર્ક સોસાયટીના રહીશોએ મામલતદારને આવેદનપત્ર આપીને બિલ્ડર અને નગરપાલિકાના તત્કાલીન અધિકારીઓ સામે છેતરપિંડીનો ગંભીર આક્ષેપ કર્યો છે.

રહીશોનું કહેવું છે કે ૧૫ વર્ષ પહેલાં જ્યારે મિલકત ખરીદી ત્યારે બિલ્ડરે નગરપાલિકાનું એનઓસી આપ્યું હતું, જેના આધારે તેઓ આટલા વર્ષથી ગટર વાપરતા હતા. હવે અચાનક ચીફ ઓફિસર દ્વારા તેને 'ખોટું અને ગેરકાયદેસર' જાહેર કરવામાં આવ્યું છે. આ કનેક્શન સીલ કરવાના અથવા ગેરકાયદેસર ઠેરવવાના નિર્ણયથી સોસાયટીના અંદાજે ૨૦૦ રહેણાંક મકાનો અને ૧૫ જેટલા વેપારી એકમો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આવેદનમાં જણાવ્યા મુજબ, નગરપાલિકાના આ પગલાથી રહીશોના બંધારણીય અનુચ્છેદ-૨૧ (જીવવાનો અધિકાર)નું ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો આ સમસ્યાનું ત્વરિત નિરાકરણ નહીં આવે, તો રહીશોએ સંવૈધાનિક રીતે આંદોલન કરવાની ચીમકી આપી છે. ૭ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ આ આવેદન મામલતદાર કચેરીમાં સ્વીકારવામાં આવ્યું છે. રહીશોએ આ નકલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટરને પણ રવાના કરી છે.