Gujarat

દેશમાં ઓમિક્રોન વોરિયન્ટની એન્ટ્રીથી સુરત સિવિલ તંત્ર એલર્ટ

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
દેશમાં ઓમિક્રોન વોરિયન્ટની એન્ટ્રીથી સુરત સિવિલ તંત્ર એલર્ટ

- સિવિલની સ્ટેમસેલ બિલ્ડીંગમાં ત્રીજા માળે  83   બેડની  વ્યવસ્થા કરાઇ : ડોકટરની ટીમ તૈયાર

        સુરત :

વિશ્વમાં ભારે હોબાળો મચાવનાર ઓમિક્રોન વોરિયન્ટની ભારતના એન્ટ્રી થયા પછી જામનગરમાં શંકાસ્પદ કેસ મળી આવ્યા છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ  થઇ ગયુ છે.

  સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યું કે ઓમિક્રોન વોરિયન્ટના  લીધે આજે કોરોનાનોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવા સહિતના  સિનિયર ડોકટરો સાથે  ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાકીદે  સિવિલની સ્ટેમસેલ બિલ્ડિંગના  ત્રીજા અને દસમાં માળેે 83 બેડની વ્યવસ્થા  કરવામાં આવી છે. અને ત્યાં વેન્ટિલેટર સહિત જરૃરી સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સિવિલની વિવિધ બિલ્ડીંગમાં કોરોનાનાં 3000થી વધુ દર્દીઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  હાલમાં સ્ટેમસેલ  બિલ્ડિંગમાં કોરોનાના 6  દર્દી  સારવાર લઈ રહ્યા છે.  જ્યાં 12 રેસિડન્ટ ડોક્ટર, 2 કન્સલટન્ટ, બે ફેકલ્ટી, 5 ઇન્ટર્ન ડોક્ટર, 22 નસગ સ્ટાફ, 25 થી 30 સર્વન્ટ ફરજ બજાવી રહ્યાછે.