ન્યુ ગાંધીનગરના ધમધમતા કુડાસણ વિસ્તારમાં
ચાંદખેડામાં સાળીના લગ્નનો પ્રસંગ પુરો કરી પરત ફરતો પરિવાર ભોજન માટે રેસ્ટોરન્ટમાં ગયો અને નિશાન બન્યો
અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારના રહેવાસીઅને પાટનગરમાં
સેક્ટર ૧૦માં નશાબંધી અને આબકારી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં વિનયભાઇ
સુતરીયાએ આ બનાવ સંબંધે ફરિયાદ નોંધાવતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
તપાસ શરૃ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત તારીખ ૮મીએ
ઉપરોક્ત બનાવ બન્યો હતો. ચાંદખેડામાં સાળીના લગ્નનો પ્રસંગ પુરો થયા બાદ ઘરે પરત
ફરવા દરમિયાન વિનયભાઇ તેના પરિવાર સાથે કુડાસણમાં આવેલી રેસ્ટોરન્ટમાં જમવા ગયા
હતાં. તેમણે ગાડી પાર્ક કરીને રેસ્ટોરન્ટમાં એન્ટ્રી લીધી ત્યારે થોડીવાર લાગશે
તેમ જણાવાતા તેઓ પરિવાર સાથે બાજુમાં આવેલા મોલમાં આંટો મારવા ગયા હતાં. બાદમાં
કોલ આવતાં રેસ્ટોરન્ટમાં જઇને જમ્યા હતાં. બહાર નીકળીને ગાડી પાસે પહોંચ્યા ત્યારે
પાછળનો કાંચ ફુટેલો જોતાં અંદર તપાસ કરી ત્યારે ખબર પડી હતી, કે સોનાની પાંચ
વીંટી, મંગળસુત્ર
સહિત દાગીના અને એક હજારની રોકડ સાથેનું લેડીઝ પર્સ ચોરાઇ ગયુ હતાં. તુરંત
આસપાસમાં નજર કરવા સાથે તપાસ કરવામાં આવી હતી. પરંતુ કોઇ પરિણામ નહીં મળતાં આખરે
પોલીસનું શરણુ લેવામાં આવ્યુ હતું.


