Gujarat

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતી રંગભૂમિ જગતમાં સ્ક્રિપ્ટ ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના વરિષ્ઠ નાટ્ય લેખક અને ગૌરવ પુરસ્કૃત સાહિત્યકાર વિહંગ મહેતાએ પોતાની વર્ષોની મહેનત અને સર્જનની ચોરી થઈ હોવાનો આરોપ મૂકી જાણીતા લેખક-દિગ્દર્શક સુરેશ રાજડા સામે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ

Script Plagiarism Case Gujarati Theatre: ગુજરાતી રંગભૂમિ જગતમાં સ્ક્રિપ્ટ ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના વરિષ્ઠ નાટ્ય લેખક અને ગૌરવ પુરસ્કૃત સાહિત્યકાર વિહંગ મહેતાએ પોતાની વર્ષોની મહેનત અને સર્જનની ચોરી થઈ હોવાનો આરોપ મૂકી જાણીતા લેખક-દિગ્દર્શક સુરેશ રાજડા સામે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

શું છે સ્ક્રિપ્ટ ચોરીનો સમગ્ર મામલો?

વડોદરાના 75 વર્ષીય વિહંગ મહેતાએ મુંબઈ સ્થિત સુરેશ રાજડા સામે આક્ષેપ કર્યો છે કે, ભૂતકાળમાં તેમણે મંચન અને વાચન માટે પોતાના 18 નાટકોની સ્ક્રિપ્ટ રાજડાને સોંપી હતી. આ સમયે બંને વચ્ચે લેખિત શરત હતી કે લેખકની મંજૂરી કે પૂર્વ પરવાનગી વગર કોઈ પણ સ્ક્રિપ્ટ ભજવવાની નથી કે અન્ય કોઈને આપવાની નથી.

જો કે, વર્ષ 1999માં વિહંગ મહેતાએ લખેલું નાટક 'અમે જાણીએ છીએ તમે કોણ છો'ને વર્ષ 2011માં લેખકની જાણ બહાર માત્ર નામ બદલીને 'ડાયલ રોંગ નંબર' તરીકે સુરેશ રાજડાએ પોતાના નામે ચડાવી દીધું હતું. આ નાટક મુંબઈ અને ગુજરાતમાં ભજવવામાં આવ્યું અને મરાઠી ભાષામાં પણ તેનું મંચન કરવામાં આવ્યું હતું.

ફિલ્મ 'હેલ્લો'ની પટકથા અને ગેરકાયદે વેચાણ

આક્ષેપ મુજબ, સુરેશ રાજડાએ આ જ સ્ક્રિપ્ટ પરથી ગુજરાતી ફિલ્મ 'હેલ્લો'ની પટકથા તૈયાર કરી ગેરકાયદે રીતે વેચી દીધી હતી. ફિલ્મ 'હેલ્લો'ના દિગ્દર્શક નીરજ જોષીએ જણાવ્યું હતું કે, 'મે આ સ્ક્રિપ્ટ સુરેશ રાજડા પાસેથી કાયદેસર ખરીદી હતી અને તેઓ આ ષડયંત્રમાં સામેલ નથી.' દિગ્દર્શકે આ બાબતે વિહંગ મહેતાની માફી પણ માગી હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે.

કાયદાકીય કાર્યવાહીની માંગ

વિહંગ મહેતાએ કોર્ટ સમક્ષ દાદ માગી છે કે, સુરેશ રાજડા સામે વિધિવત ફરિયાદ નોંધવામાં આવે. સ્ક્રિપ્ટ, કરારો અને અન્ય સંબંધિત દસ્તાવેજો કબજે કરવામાં આવે.ક્રેડિટ અને મહેનતાણું ચૂકવ્યા વિના કમાણી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ઉલ્લેખનીય છેકે, વિહંગ મહેતા ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત વરિષ્ઠ સાહિત્યકાર છે અને હાલ તેઓ બેંગ્લોરમાં સ્થાયી થયા છે. દાયકાઓ સુધી સાથે કામ કરનાર કલાકારો વચ્ચે સર્જાયેલા આ વિવાદથી નાટ્ય જગતમાં ભારે ચર્ચા જાગી છે.