Get The App

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા 1 - image

Jamnagar Accident : જામનગરમાં ગુલાબ નગર નજીક રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા કેશુભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 53) કે જેઓ પોતાની રીક્ષા લઈને જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પાછળથી જી.જે. 10 ઇ.સી. 3850 નંબરની કારના ચાલકે તેઓને ઠોકરે ચડાવતાં રીક્ષા પલટી મારી ગઈ હતી, અને રિક્ષામાં નુકસાની થઈ છે.

 આ ઉપરાંત રીક્ષા ચાલકને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ફ્રેકચર સહિતની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓએ કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.