Gujarat

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ

By GS TEAM
11 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં પહેલા વર્ષની એટીકેટી સોલ્વ થયા વિના વિદ્યાર્થીનું વર્ષ બગડે નહીં માટે ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવાની માંગ કરતું આવેદનપત્ર કોમર્સ ફેકલ્ટીની કચેરીએ એનએસયુઆઈ દ્વારા સુપ્રત કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ

Vadodara M S University : વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં પહેલા વર્ષની એટીકેટી સોલ્વ થયા વિના વિદ્યાર્થીનું વર્ષ બગડે નહીં માટે ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવાની માંગ કરતું આવેદનપત્ર કોમર્સ ફેકલ્ટીની કચેરીએ એનએસયુઆઈ દ્વારા સુપ્રત કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, એમ એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સમાં પ્રથમ વર્ષે એટીકેટી મેળવનાર વિદ્યાર્થીને બીજા વર્ષ સુધી પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ આ એટીકેટી સોલ્વ ન થાય ત્યાં સુધી ત્રીજા અને અંતિમ વર્ષમાં પ્રવેશ અપાતો નથી. આમ એટીકેટી સોલ્વ ન થાય તો વિદ્યાર્થીનું વર્ષ બગડે છે. આ અંગે વિદ્યાર્થીનું વર્ષ ન બગડે એ અંગે એનએસયુઆઈ દ્વારા ફેકલ્ટી ડીનને મળીને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રથમ વર્ષની એટીકેટી સોલ્વ ન થાય તો પણ વિદ્યાર્થીને ત્રીજા અંતિમ વર્ષમાં પ્રવેશ આપવો જોઈએ. પરિણામે વિદ્યાર્થીને પ્રથમ વર્ષની એટીકેટી સોલ્વ કરવા પૂરતો સમય મળે અથવા તો ત્રીજા વર્ષમાં પ્રવેશ આપતા અગાઉ આવા વિદ્યાર્થીઓની એટીકેટી એક્ઝામ પણ લેવા બાબતે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા સહિત કાર્યકરો તથા વિદ્યાર્થીઓએ એકત્ર થઈને કોમર્સ ફેકલ્ટી કચેરીએ ઉગ્ર રજૂઆતો કરીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.