- રૂ. 10 લાખથી વધુના વિદેશ પ્રવાસના પેકેજ પર ૨૦ ટકા ટીસીએસની જોગવાઈ બદલીને બે ટકા કરાઈ
ટીડીએસનો પણ લાભ મળશે
વર્તમાન કાયદાકીય જોગવાઈ હેઠળ આવકવેરા ધારાની કલમ ૩૯૩(૬)માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ જે કરદાતાને ડિવિડંડની, સિક્યોરિટી પરના વ્યાજની આવક તથા મ્યુચ્યુલ ફંડ થકી થતી આવક ઉપર ટીડીએસ-કરકપાત ન થાય તે માટે કરદાતાએ દરક મ્યુચ્યુચ્યુઅલ ફંડ ચલાવનારા અને કંપનીઓને ૧૫ જી ફોર્મ મોકલવાની જવાબદારીમાંથી મુક્તિ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે હવે માટે સીડીએસએલ અને એનએસડીએલ જેવી ડિપોઝિટરીઓને ફોર્મ ૧૫ જી આપવાનું રહેશે. અહીં ફોર્મ આપી દેવાથી તેના દરેક રોકાણને મેનેજ કરનારાઓ સુધી તે ફોર્મ આપોઆપ પહોંચી જશે. આ તમામ ઇન્વેસ્ટમેન્ટ ડિમેટ સ્વરૂપમાં હોવા જરૂરી છે. ફિઝિકલ શેર કે મ્યુચ્યુઅલ ફંડન યુનિટ્સ ધરાવનારાઓને આ લાભ મળશે નહિ.
આવકવેરા ધારાની વર્તમાન જોગવાઈ મુજબ કોઈ પણ બિનનિવસી ભારતીય કોઈ પણ સ્થાવર મિલકતનું વેચાણ કરે તો કરદાતાનો કલમ ૩૯૩- જૂની કલમ ૧૯૫ હેઠળ ટાન-ટેક્સ ડિડક્શન એકાનન્ટ નંબર મેળવીને ટીડીએસ કાપીને ટીડીએસનું રિટર્ન ભરવાની જોગવાઈ હતી.
નાણાં મંત્રી આજે બજેટમાં નવી જોગવાઈ કરીને રાહત આપી છે. હવે ટાન નંબર લેવો પડશે નહિ. બજેટમાં કલમ ૨૯૭ ૧ (સી)માં ફેરફાર કરીને પાન કાર્ડને આધારે ટીડીએસ કાપીને સરકારમાં જમા કરાવી દેવાનો રહેશે. ટાન નંબર લેવાની અને ટીડીએસ કાપીને ટીડીએસનું રિટર્ન ફાઈલ કરવાની જંજાળમાંથી મુક્તિ આપવામાં આવી છે.


