Gujarat

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે

By GS TEAM
3 May 20262 mins read
TukuTouch Logo
ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા મહત્વના ચાર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે રવિવારે, 3 મેના રોજ દેશભરમાં નીટની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા પેપર-પેન્સિલ મોડમાં ઓએમઆર (OMR) બેઝ લેવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 79000 વિદ્યાર્થી સહિત દેશના 22.80 લાખ વિદ્યાર્થીઓ આજે NEET આપશે
 AI IMAGE

NEET UG 2026: ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા મહત્વના ચાર કોર્સમાં પ્રવેશ મેળવવા માટે આજે રવિવારે, 3 મેના રોજ દેશભરમાં નીટની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા પેપર-પેન્સિલ મોડમાં ઓએમઆર (OMR) બેઝ લેવામાં આવશે. લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્યનો નિર્ણય થશે. 

પરીક્ષાના મહત્વના આંકડા

દેશભરમાંથી રેકોર્ડબ્રેક 22.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. ગુજરાતમાં આ વર્ષે કુલ 79,190 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાતના 31 શહેરોના 211 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ યુવકો કરતા યુવતીઓની સંખ્યા વધુ છે, જેમાં 13.32 લાખ યુવતીઓ અને 9.58 લાખ યુવકો નોંધાયા છે.

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

લોખંડી બંદોબસ્ત અને હાઈટેક મોનિટરિંગ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષામાં ચોરી અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દેશભરના 4700થી વધુ કેન્દ્રો પર કુલ 1.85 લાખ સીસીટીવી કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. કેન્દ્રોમાં ફોર લેયર સીસીટીવી મોનિટરિંગ અને રિયલ ટાઈમ મોનિટરિંગ માટે એનટીએનું કમાન્ડ સેન્ટર સજ્જ છે. પેપરના ટ્રાન્સપોર્ટેશન માટે જીપીએસ ટ્રેક બેઝ સિસ્ટમ અને પોલીસ બંદોબસ્તનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંવેદનશીલ કેન્દ્રો પર સિગ્નલ જામર્સ મૂકવામાં આવ્યા છે અને ડબલ લોક સ્ટ્રોંગ રૂમમાં પેપર સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

પરીક્ષાનું માળખું

સમય: બપોરે 2:00 થી 5:00 વાગ્યા દરમિયાન પરીક્ષા યોજાશે.

કુલ ગુણ: પરીક્ષા કુલ 720 ગુણની રહેશે.

વિષયવાર ગુણ: ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના 180-180 ગુણ જ્યારે બાયોલોજીના 360 ગુણ રહેશે.

પરીક્ષાના સુચારુ સંચાલન માટે સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલે કોર્ડિનેશન કમિટીઓની રચના કરવામાં આવી છે અને 240 જેટલા ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે.