Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ હેઠળ ડભોઈ–એકતાનગર રેલખંડ પર મૌર્ય સ્ટેશનની કમિશનિંગ તથા તેને D શ્રેણીમાંથી B શ્રેણીમાં અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીને સલામત રીતે પૂર્ણ કરવા માટે રેલવે દ્વારા આ સેકશનમાં એન્જિનિયરિંગ બ્લોક લીધો છે.
આ બ્લોક દરમિયાન ટ્રેન વ્યવહાર પર અસર પડશે, જેના કારણે તા.4, 5 અને 7 એપ્રિલે પ્રતાપનગર-એકતાનગર વચ્ચે દોડતી મેમૂ ટ્રેનો સંપૂર્ણપણે રદ રાખવામાં આવી છે.


