Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી 1 - image

બદલીના આદેશથી કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓના ભાગરૃપે વહીવટી તંત્ર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા જિલ્લાના વિવિધ ૨૭ ગામોમાં ફરજ બજાવતા તલાટીઓની બદલીના આદેશો જારી કરાયા છે.

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ સજ્જતાના ભાગરૃપે આંતરિક ફેરબદલ શરૃ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેકમ) દ્વારા વહીવટી સરળતાને ધ્યાને રાખી જિલ્લાના અલગ-અલગ ૨૭ ગામોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની સામુહિક બદલીઓ કરવામાં આવી છે.

આ બદલીઓમાં લખતર તાલુકાના વણા, ચોટીલાના ધારૈઈ, ડાકવડલા, નાવા, આણંદપર, નાના પાળીયાદ, પિયાવા, લીંબડીના બોરણા, દોલતપર, કમાલપર, મુળીના રામપરડા, કળમાદ, સાયલાના ભાડુકા, શિરવાણીયા, વઢવાણના મોટા મઢાદ, ફુલગ્રામ, પ્રાણગઢ, ખારવા-બ, મેમકા, કરણગઢ, ગોમટા, ખજેલી, દસાડાના ધામા, ધ્રાંગધ્રાના કલ્યાણપુર, રાજસીતાપુર-અ અને ચુડાના ગોખરવાડા સહિત ૨૭ ગામમાં  ફરજ બજાવતા કર્મચારીઓને પણ અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલા કરવામાં આવેલી આ મોટી ફેરબદલને કારણે વહીવટી આલમમાં અને બદલી પામેલા કર્મચારીઓમાં 'કહીં ખુશી કહીં ગમ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી કામગીરીમાં વેગ લાવવા અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાઈ રહ્યું છે.