Gujarat
જામનગરમાં સમગ્ર ગ્રેઈન માર્કેટના વિસ્તારમાં સમૂહ સફાઈ કરાવાઇ
By GS Team
14 May 20201 min read
This article was originally published on 14 May 2020

જામનગર, તા. 14 મે 2020 ગુરૂવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે સફાઈ તંત્રને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર ગ્રેઈન માર્કેટ ફરીથી શરૂ થઈ ગઈ છે. ત્યારે જામનગર શહેરના વેપારીઓ તેમજ બહારગામના વેપારીઓ ખરીદી કરવા માટે આવતા હોય છે.
જેઓની સુરક્ષાના ભાગરૂપે સમગ્ર ગ્રેઈન માર્કેટ પરિસરને સાફ સુથરો કરી દેવામાં આવ્યો હતો. મનપાની ટીમ વગેરે આજે વહેલી સવારે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને સમગ્ર માર્કેટ પરિસરમાં સામૂહિક સફાઈ હાથ ધરવામાં આવી હતી અને ડી.ડી.ટી.નો છંટકાવ કરી દેવાયો હતો.
ઉપરાંત સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.




