મહુવા પોલીસમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
કેરીની વખારની આડમાં વિદેશી દારૃનું વેચાણ થતું હતું
ભાવનગર - મહુવા કાળભૈરવ
મંદિર પાસે કેરીની વખારની આડમાં વિદેશી દારૃનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે
મહુવા પોલીસે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી દારૃની ૭૧ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઈ
કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધ્યા છે.
મહુવા કાળભૈરવ મંદિર પાસે તોરણ એપાર્ટમેન્ટની નીચેની દુકાન નિલેશ કિશોરભાઈ
સાંખટ નામના શખ્સે ભાડે રાખી તેમાં કેરીની વખારની આડમાં દારૃનું વેચાણ કરતા હોવાની
બાતમીના આધારે મહુવા ટાઉન પોલીસે તપાસ કરતા બાતમીવાળા સ્થળેથી પુંઠાના બોક્સમાંથી
રૃ.૨૨,૫૦૦ની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૃની ૭૧ બોટલ સાથે નિલેશ ઉર્ફે
ડામરો કિશોરભાઈ સાંખટને ઝડપી લઈ આ મામલે નિલેશ, ચિરાગ જાદવ અને નટુ જાધાભાઈ
બારૈયા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


