જામનગરના એક આસામીને રૂપિયા બાવીસ લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની જેલ સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court : જામનગરમાં ગાંધીનગરના મચ્છરનગરમાં રહેતા અને હાલ અમદાવાદ વસવાટ કરતાં ઉતમસિંહ વી.ગોહિલે પોતાના ઇવેન્ટ વિગેરેના ધંધા માટે ફરીયાદી વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા રહે. જામનગર વાળા પાસેથી કટકે-કટકે કુલ રૂપિયા બાવીસ લાખ હાથ ઉછીના મેળવેલાં હતા. જે રકમની ચુકવણી કરવા આરોપી ઉતમસિંહ ગોહિલે ઇન્ડસન બેંક જામનગર શાખાનો ચેક મુદતે પાસ થઈ જવાના વિશ્વાસે આપેલો હતો.
જે ચેક બાઉન્સ થતાં ફરીયાદી વિજયસિંહે તેના વકીલ મારફત નોટિશ આપી 15 દિવસમાં લેણી રકમ ચૂકવવા સૂચના આપેલ જેની મુદત પૂરી થયા બાદ પણ આરોપી રકમ નહીં ચૂકવતા વિજયસિંહ જાડેજાએ જામનગર કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138 હેઠળની ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ 4થા એડી. ચીફ જ્યુડિ. મેજી.ની કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી તરફે રજૂ થયેલ મૌખિક દસ્તાવેજી પુરાવો ધ્યાને લઈ ફરીયાદી તરફેની દલીલ આ પ્રકારના કેસમાં ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કરતાં કોર્ટે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને 2 (બે) વર્ષ ની પૂરી સજા તથા ફરીયાદીની લેણી રકમ રૂપિયા બાવીસ લાખ એક માસમાં ચૂકવી આપવા હુકમ કરેલ છે.









