Gujarat

અમદાવાદ: પકવાન નજીક પૂરઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં

By GS TEAM
27 Feb 20262 mins read
TukuTouch Logo
અમદાવાદનો એસ.જી. હાઈવે મોડી રાત્રે ફરી એકવાર પૂરઝડપે દોડતી કારે અકસ્માત સર્જો હતો. પકવાન ચાર રસ્તા નજીક એક લક્ઝરી કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલિંગ તોડી પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ હતી. સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: પકવાન નજીક પૂરઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં

Ahmedabad Accident: અમદાવાદનો એસ.જી. હાઈવે મોડી રાત્રે ફરી એકવાર પૂરઝડપે દોડતી કારે અકસ્માત સર્જો હતો. પકવાન ચાર રસ્તા નજીક એક લક્ઝરી કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રેલિંગ તોડી પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ હતી. સદનસીબે રાત્રિનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ભારે ધડાકા સાથે કાર રેલિંગમાં અથડાઈ

મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે એક લક્ઝરી કાર પકવાન ચાર રસ્તા પરથી પૂરઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બેકાબૂ બની ગઈ હતી. કાર એટલી સ્પીડમાં હતી કે તે રોડની બાજુમાં આવેલી લોખંડી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રેલિંગના ટુકડા કરી સીધી પાર્કિંગ ઝોનમાં ઘૂસી ગઈ હતી.

અકસ્માતનો નઝારો જોતા જ અંદાજ લગાવી શકાય છે કે કારની સ્પીડ મર્યાદા કરતા ઘણી વધારે હતી.અકસ્માતને પગલે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પકવાન વિસ્તાર દિવસ દરમિયાન લોકોની અવરજવરથી ધમધમતો હોય છે. જો આ અકસ્માત દિવસના સમયે થયો હોત તો ફૂટપાથ કે પાર્કિંગ એરિયામાં ઉભેલા અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત. પરંતુ મોડી રાત્રિ હોવાથી પાર્કિંગ ખાલી હતું, જે મોટી રાહતની વાત છે.

આ પણ વાંચો: રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભગવા ઉતારીને બહાર જતા જોવા મળ્યા હતા! આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ

પોલીસે તપાસ હાથ ધરી 

ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો ઓવરસ્પીડિંગનો હોવાનું જણાય છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી ચોક્કસ માહિતી મળી શકે કે કાર કોણ ચલાવી રહ્યું હતું અને શું ચાલક નશાની હાલતમાં હતો કે કેમ.