Jamnagar BJP : ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઇ ભંડેરીની નિમણૂક કરવામાં આવેલ છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જામનગર શહેરના 16 વોર્ડના સંગઠન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.
જે પૈકી, વોર્ડ ન. 1-સંજય મકવાણા, વોર્ડ.2-વિજયસિંહ ગોહિલ, વોર્ડ.નં 3-દિનેશ ગજેરા, વોર્ડ નં.4- ભાવિશાબેન ધોળકિયા, વોર્ડ.નં 5-મિલન વજાણી, વોર્ડ.નં6- સંજય દાઉદિયા, વોર્ડ.નં7-પ્રજ્ઞેશ ભટ્ટ, વોર્ડ.નં 8-પરષોત્તમ કકનાણી, વોર્ડ.નં. 9-મેપાભાઇ કંબરીયા, વોર્ડ.નં 10-નીતિન સોલાણી, વોર્ડ.નં 11-ભારતસિંહ જાડેજા, વોર્ડ.નં 12-ભાવેશ કોઠારી, વોર્ડ.નં. 13 હિરેન તખ્તાણી, વોર્ડ-નં. 14-મુકેશ વસોયા, વોર્ડ.નં15-મનીષ કનખરા, વોર્ડ.નં 16-નરભેરામ ડાકાની નિમણૂક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જાડેજા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે.મેયર કૃષ્નાબેન સોઢા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિના ચેરમેન પરષોત્તમ કકનાણી સહીત પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના અધ્યક્ષ તથા પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો સહીત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા શહેર સંગઠન પ્રભારી તથા વોર્ડ પ્રભારીઓની નિમણૂકને આવકારવામાં આવી છે.


