કામદારોનું આર્થિક શોષણ નહીં અટકે તો આંદોલન કરવાની ચિમકી

- વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઇડીસીનો મામલો
- ઉદ્યોગોમાં પગાર ધોરણ ઓછું ચુકવાતું હોવા સહિતના આક્ષેપ કરવામાં આવ્યા
વલ્લભ વિદ્યાનગર પાસેના જીઆઇડીસી એસ્ટેટમાં કામ કરતા લોકો માટે આપવામાં આવેલ આવેદન પત્રમાં રજુઆત કરાઇ છે કે કંપનીઓમાં કામ કરતા લોકોનું શોષણ થઇ રહ્યુ છે અને ગુજરાત લેબર લો ૨૦૨૦ પ્રમાણે જે કામદાર હોય કે નોકરીયાત હોય જેમાં સ્કીલ, સેમીસ્કીલ અને અનસ્કીલ લોકો માટે પગારના ધોરણો સરકારે નકકી કરેલા ભથ્થા ચુકવવા જોઇએ. લઘુત્તમ વેતન ૩૪૦ રૂપિયા મુજબ પગાર ચુકવવા માંગ કરાઇ છે. સરકારી ધારાધોરણ મુજબ અન્ય ભથ્થા વેલ્ડીંગ ગ્લાસ, હેન્ડ ગ્લોઝ, બુટ, હેલ્મેટ પુરા પાડવા જોઇએ, કામદાર પ્રત્યે ભેદભાવની વૃત્તી ન હોવી જોઇએ, પુરૂષ અને મહિલા કામદારો તેમને પણ કોઇપણ લીંગભેદ વિના સમાન ધોરણો રાખવા જોઇએ. તેવી ક્ષત્રિય સેના આણંદ તાલુકા દ્વારા માંગ કરાઇ છે. જો માંગને સ્વિકારવામાં નહી આવે તો અગામી સમયમાં જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.




