Get The App

હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો

વતન તરફ વળ્યાં પગલા, શનિ-રવિની રજાના પગલે બસ અને રેલવે સ્ટેશન પર પડાપડી

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો 1 - image


હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે ગામ-વતન જનાર મુસાફરોનો રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ભારે ઘસારો જોવા મળ્યો છે.

આગામી ૩ માર્ચે હોળી અને બીજા દિવસે ધૂળેટી સમગ્ર રાજ્યમાં ઉલ્લાસભેર ઉજવાશે. રોજગાર અને અભ્યાસ માટે શહેરોમાં વસતા લોકો પરિવાર સાથે તહેવાર મનાવવા વતન તરફ રવાના થઈ રહ્યા છે.

તહેવારો દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવે દ્વારા ૨૩૧થી વધુ હોલીડે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી નિયમિત ટ્રેનોના વધારાના ફેરા પણ રાખવામાં આવ્યા છે. સ્ટેશન પર આજે સવારથી જ ટિકિટ વિન્ડો અને પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી હતી. શનિવાર અને રવિવારની રજાઓને કારણે આવતીકાલે વધુ ભીડ થવાની શક્યતા છે.

વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે ૩૨૫ વધારાની બસો મુકાઈ છે. ખાસ કરીને ઝાલોદ, દાહોદ, ડાકોર, છોટાઉદેપુર અને ગોધરા રૂટ પર વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.