Get The App

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત

નિયમોની ઐસીતૈસી કરીને ચાલતી નમનીક ફેક્ટરીઓ

ચારેય કામદારો આગ ઓલવવા ગયા અને શટર તુટતા ફેલાયેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત 1 - image

અમદાવાદ, શનિવાર

માધુપુરા હનુમાનપુરામાં આવેલી નમકીનની ફેક્ટરીમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા ચાર કામદારોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે માધુપુરા સહિતના વિસ્તારોમાં નમકીનના અનેક કારખાના નિયમોની ઐસીતૈસી કરીને બેરોકટોક રીતે ચાલે છે. 

માધુપુરા હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેશન પાસે સ્થિત મહેશ્વરી ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી આવકાર ફુડ્સમાં ગત ૩જી માર્ચના રોજ રાતના અઢી વાગે આગ લાગી હતી. જેથી અગાસી પર સુઇ રહેલા અને ત્યાં કામ કરતા સુભાષ પરમાર અને તેનો ભાઇ અરવિંદ પરમાર (રહે.ડુંગરપુર, રાજસ્થાન) તેમજ કુલદીપસિંહ રાજપુત (રહે. મધ્યપ્રદેશ) અને ,કૈલાશ વણઝારા જીવના જોખમે નીચે ઉતર્યા હતા અને દુકાનમાં લાગેલી આગને ઓલવવા પ્રયાસ કરતા હતા. ત્યારે શટર તુટતા આગની જ્વાળાઓ ચારેય જણા દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અમદાવાદમાં આવેલી મોટાભાગની નમકીનને ફેક્ટરીઓમાં નિયમોનો ભંગ કરીને નાની જગ્યામાં ફાયર સેફ્ટી વિના જ કામગીરી કરવામાં આવે છે. તેમ છતાંય, તંત્રની મિલીભગતથી કોઇ કાર્યવાહી થતી નથી.