Gujarat

પાટણ જિલ્લા પંચાયતના કોંગી બળવાખોરોને ૩ મહિનાનું જીવતદાન

By GS Team
17 Jul 20181 min read
This article was originally published on 17 Jul 2018
TukuTouch Logo
ઊંઝામાં વ્યાપક પ્રમાણમાં થતી ભેળસેળને કંટ્રોલ કરવા માટે ઊંઝા એપીએમસી તેમજ વેપારી ડેલીગેશનની

Summarized by AI; it may make mistakes. Check important info

પાટણ જિલ્લા પંચાયતના કોંગી બળવાખોરોને ૩ મહિનાનું જીવતદાન

મહેસાણા, તા.17 જુલાઇ 2018 સોમવાર

પાટણ જિલ્લા પંચાયતમાં કોંગી બળવાખોરો વિરૃધ્ધની કોંગ્રેસની રજૂઆત મામલે હાઈકોર્ટે પક્ષોતર ધારાનો નિર્ણય ત્રણ મહિનામાં પૂર્ણ કરવા દીશા સુચન આપ્યુ છે. જેને પગલે આજે ભાજપ અને કોંગી બળવાખોરો વિધીવત કમિટીઓ બનાવશે. ત્રણ મહિના સુધી બળવાખોરોને જીવતદાન મળ્યાનુ માનવામાં આવી રહ્યુ છે.

પાટણ જિલ્લા પંચાયતમાં આજે બુધવારે સામાન્ય સભા મળશે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગી બળવાખોરોના મતો અકબંધ રાખવા મથી રહેલા કોંગ્રેસી આગેવાનોને થોડી પીછેહઠ અને થોડી રાહત થઈ છે. હાઈકોર્ટે પક્ષાંતરધારાનો કેસ ત્રણ મહિનામાં પૂર્ણ કરવા ગાંધીનગર સ્થિત નામોનિર્દેશ સચિવને સુચના આપી છે. આ સાથે પક્ષાંતરધારાનો જે નિર્ણય આવે તે કોંગી બળવાખોરોને બંધનકર્તા થશે. આ તરફ ભાજપ અને કોંગી બળવાખરોઓને હાલ પુરતી મુશ્કેલી ટળી જતા વિધિવત કમિટીઓ બનાવવાની તૈયારી આદરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બળવાખોરોના મતો અકબંધ નહી રહેતા કોંગ્રેેસ કમિટીની ચુંટણીમાં  નહી ઝંપલાવતા બિનહરીફ થવાની સંભાવના છે. કોંગ્રેસે ગણતરી માંડી છે કે ત્રણ મહિના સુધી કમીટીઓથી જિલ્લા પંચાયતમાં રાજ કરી લીધા બાદ બળવાખોરોનુ સભ્યપદ રદ થઈ જશેે. આવા સંજોગોમાં પાટણ જિલ્લા પંચાયતમાં પેટા ચુંટણી અથવા તો લોકસભાની પૂર્વ તૈયારી જોતા સભ્યોની ઉથલપાથલ થઈ શકે છે.