Gujarat

વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ

By GS TEAM
25 Feb 20262 mins read
વડોદરા રેલવે સ્ટેશન ખાતે ગુજરાત પોલીસ ચોકીના સ્થળાંતરની માગ

પશ્વિમ રેલવેના વડોદરાવિભાગમાં પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ ખાતે આજે મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિ (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી)ની આ વર્ષની પ્રથમ બેઠકયોજાઈ હતી.

ડી.આર.એમ. રાજુભડકેએ પ્રતાપનગર- જોબટ ક્ષેત્રમાં ટ્રેનોની સેક્શન સ્પીડ વધારવાના પ્રયત્નો તથા સ્ટેશનો પર ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી આપી, દિવ્યાંગ-ફ્રેન્ડલી સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વધતા ટ્રાફિકને ઘટાડવા ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.

આ દરમિયાન રેલવે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીની રજૂઆત મુજબ, વલસાડ-વડોદરા વચ્ચે દોડતી ટ્રેનમાં એમ.એસ.ટી (માસિક સિઝન ટિકિટ) કોચ નિર્ધારિત કરી માર્ક કરવા,વડોદરા-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસનો ઉપડવાનો સમય હાલના સમય સાંજે પ વાગ્યાના સ્થાને સાંજે ૫:૩૦ થી ૫:૪૫ની વચ્ચે કરવો, દિવાળી, છઠ્ઠ પૂજા, હોળી તેમજ ઉનાળુ વેકેશન દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખી વિશેષ ક્લોન ટ્રેન શરૂ કરવી,વિશ્વામિત્રી અયોધ્યા ધામ સ્પેશિયલ ટ્રેન શરુ કરવી, ગોલ્ડન ટેમ્પલ મેઇલ ટ્રેનનું ભરૂચ સ્ટોપેજ આપવું, વડોદરા ખાતે ગુજરાત પોલીસ ચોકીનું સ્થળાંતર કરી તેને મુખ્ય પ્લેટફોર્મ નંબર ૧ પાસે બહારની બાજુએ ખસેડવા માગ કરી છે.

સભ્ય મોહમ્મદ હબીબ લોખંડવાલાની રજૂઆત મુજબ, પ્રતાપનગર- એક્તા નગર વચ્ચે વધુ એક મેમુ ટ્રેન શરૂ કરવી,અમદાવાદ – એક્તાનગર જનશતાબ્દી ટ્રેનને મેલ/એક્સપ્રેસમાં રૂપાંતરિત કરી તેમાં જનરલ ટિકિટની સુવિધા શરૂ કરવી, કિમ, કોસંબા, અંકલેશ્વર અને ભરૂચ સ્ટેશનો પર મુસાફરો સીધા ટ્રેક પાર ન કરે તે માટે ગ્રિલ લગાવવી, પાવી સ્ટેશન પર હાલમાં માત્ર એક જ પ્લેટફોર્મ હોઈ બીજા પ્લેટફોર્મનું નિર્માણ તથા બાંદ્રા -ભાવનગર ટ્રેનનું સ્ટોપેજ ભરુચ આપવા સહિતના મુદ્દે રજૂઆત થઈ છે.