Gujarat

સચિનની દુર્ઘટનાને લીધે સિવિલમાં અલાયદો વોર્ડ બનાવ્યો

By GS Team
6 Jan 20221 min read
This article was originally published on 6 Jan 2022
સચિનની દુર્ઘટનાને લીધે સિવિલમાં અલાયદો વોર્ડ બનાવ્યો

સુરત, તા. 06 જાન્યુઆરી

નવી સિવિલના ઇન્ચાર્જ આર.એમ.ઓ ડૉ. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન , સર્જરી , એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ વર્ગ-૪ના કર્મચારીઓ સહિતનો સ્ટાફ કિડની બિલ્ડિંગમાં તાત્કાલિક સારવાર વિભાગમા દોડી આવ્યા હતા . એટલું જ નહીં , તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા . ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે .


ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ઘારીત્રીબેન પરમાર પણ દોડી આવ્યાં હતાં . તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે . આઠ જેટલા દર્દીઓના વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે જોકે કિડની બિલ્ડીંગના પાંચમાં માળે આ દર્દીઓ માટે અલાયદા વોર્ડ બનાવી સારવાર આપવામાં આવી રહી છે.