જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Congress : જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી નિષ્પક્ષ અને ભયમુક્ત રીતે યોજાય તે માટે શહેર કોંગ્રેસ દ્વારા આવેદન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણી દરમિયાન સતાધારી પક્ષ દ્વારા સરકારી મશીનરી, ખાસ કરીને પોલીસ તંત્રનો દુરુપયોગ થવાની શક્યતા અંગે દહેશત છે. ઉમેદવારોના સમર્થકોને હેરાન-પરેશાન કરવું, દબાણ કરવું અથવા મતદાનના દિવસે તેમને અટકાવવામાં આવે તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
તે ઉપરાંત મતદારોને ડરાવી-ધમકાવી અથવા લાલચ આપી મત પ્રભાવિત કરવાની શક્યતા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. આથી ચૂંટણી બંધારણની જોગવાઈઓ મુજબ નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તેમજ પોલીસ તંત્ર કાયદા મુજબ નિષ્પક્ષ કામગીરી કરે તે માટે માંગ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી આયોગને પણ રજૂઆત કરવામાં આવી છે.








