Gujarat

અંબાજી ગબ્બર પર્વત : 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો

By GS Team
26 May 20201 min read
This article was originally published on 26 May 2020
અંબાજી ગબ્બર પર્વત : 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડીવાળા માતાજીએ દેહત્યાગ કર્યો

અંબાજી, તા. 26 મે 2020 મંગળવાર 

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પાસે રહેતા અને 76 વર્ષથી અન્નજળનો ત્યાગ કરનાર ચુંદડી વાળી માતાના નામે પ્રસિદ્ધિ પામેલા પ્રહલાદભાઈ એ અંતિમ શ્વાસ લીધા છે.

સંતો મહંતો સહિત તેમના નજીકના આશ્રમના અનુયાયીઓ સમાધિની વિધિ માટેની તૈયારીઓમા લાગ્યા છે.

ગુજરાત સહિત દેશ-વિદેશમાં લાખો ભક્તો ધરાવતા ચુંદડી વાળા માતાજી આ ધરતી પર અન્નજળ વગર કેવી રીતે જીવન જીવી રહ્યી શકયા. તે વિજ્ઞાન માટે પણ પડકારજનક હતુ.