Gujarat

વરાછા વિસ્તારમાં પક્ષ છોડી ગયેલા કોર્પોરેટોરના વિરોધમાં બેનર લાગ્યા

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
વરાછા વિસ્તારમાં પક્ષ છોડી ગયેલા કોર્પોરેટોરના વિરોધમાં બેનર લાગ્યા

- આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટરો ગદ્દાર છે તેવા બેનરો લગાવ્યા, રાજકારણમાં ગરમાટો

પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર

સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આપણા પાંચ કોર્પોરેટરો પક્ષ છોડી ભાજપમાં જતા તેમના વિરુદ્ધ વરાછા વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. બોક્સ છોડનારા પ્રજાના છે તેવા બેનર લગાવાયા છે.

સુરતના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો પક્ષ નો છેડો ફાડી ભાજપમાં ગયા બાદ રાજકારણ ગરમાયું છે. પાંચ કોર્પોરેટરો ભાજપમાં ગયા બાદ તેઓએ આપ વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા છે. તેની સાથે હજી પણ કેટલાક કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અચાનક પાંચ કોર્પોરેટરોએ સફળતા આપનાર નેતાઓ બન્યા છે. પક્ષ છોડી ગયેલા કોર્પોરેટરો હવે આપ માટે વિલન બની ગયા છે.


આપ દ્વારા પગ છોડી ગયેલા કોર્પોરેટરો સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે. જેની સાથે રાજકારણમાં ગરમાવા ઉપરાંત આજે વરાછાના કેટલાક વિસ્તારોમાં પક્ષ છોડી ગયેલા કોર્પોરેટરો વિરુદ્ધ બેનર જોવા મળી રહ્યા છે. પક્ષ છોડી ગયેલા ગદ્દાર છે તેવા બેનર રાત્રે કેટલાક વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ વધુ આક્રમક બને તેવી શક્યતા નકારી શકાતી નથી.