Gujarat

ખરાબ વાતાવરણના લીધે દાડમ અને રાયડાના પાકને નુકસાન થશે

By GS Team
22 Jan 20221 min read
This article was originally published on 22 Jan 2022
ખરાબ વાતાવરણના લીધે દાડમ અને રાયડાના પાકને નુકસાન થશે

આણંદપર(યક્ષ)તા.૨૧

કચ્છમાં પણ બે દિવસ માવઠાની આગાહીના પગલે આજે સવારાથી માક અને દિવસભર ધાબોડીયા વાતાવરણ રહ્યો હતો. દિવસભર તોફાની પવન ફુંકાતા રાયડા તેમજ દાડમના પાકને નુકશાન થવાની દહેશત ખેડૂતોએ વ્યકત કરી છે. ખેડુતોની વાડીમાં ઉભેલા પાકો તેમજ લોકોમાં બીમારીનો વાધારો જોવા મળશે.

આજાથી  ગોરંભાયેલા વાતાવરણ અને માવઠાના કારણે હાલ વાવેતર કરેલા શિયાળુ પાકને નુકશાન પહોંચાડશે. હાલ રાયડાનો પાક તૈયારીમાં છે.ફળીમા દાણો થતા વજન વાધવાની સાથે પવન લાગવાના કારણે આ પાક નમી ગયો છે.

 આણંદપરના અને દાડમની ખેતી કરતા સુરેશભાઈએ જણાવ્યુ હતુ કે હાલ બે દિવસાથી પડી રહી છે.માક થકી દાડમના પાકમાં ફુગ આવશે એ ના આવે એ માટે અગાઉાથી દવાનો છટકાવ કરવાની જરૃર પડે છે.જેાથી કરીને આવું આયોજન અગાઉાથી કરવુ પડે છે.માક થકી રાયડાના પાકમાં પણ ગળા નામનો રોગ આવે છે.જેને નાથવા ગદ્રફનો છંટકાવ કરવો પડે છે.