Get The App

અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર 1 - image


Digital Lockers In Ahmedabad Railway: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને આધુનિક સેવાઓના વિસ્તરણના ભાગરૂપે આજથી (10મી જૂન) રેલવે સ્ટેશન પરિસરમાં 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ સેવા શરૂ થવાને કારણે હવે મુસાફરો પ્રવાસ દરમિયાન સામાન સાચવવાની ચિંતામાંથી મુક્ત બનશે.

મુસાફરોને કેવી રીતે થશે ફાયદો?

આ આધુનિક સુવિધાના શુભારંભ પ્રસંગે 10મી જૂન 2026ના રોજ સવારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિસ્ટમની કાર્યપ્રણાલીની સમીક્ષા કરી હતી.

અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર 2 - image

ઘણીવાર અન્ય શહેરોમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ અથવા કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતાં મુસાફરો પાસે ઘણો સામાન હોય છે, જેના કારણે તેઓ રેલવે સ્ટેશનની બહાર નીકળી શકતા નથી. પરંતુ હવે આ ડિજિટલ લગેજ લોકર સુવિધાની મદદથી મુસાફરો પોતાનો નાનો-મોટો સામાન અત્યંત સુરક્ષિત રીતે લોકરમાં જમા કરાવી શકશે. ત્યારબાદ તેઓ સામાનની કોઈ પણ પ્રકારની ચિંતા વિના નિશ્ચિંત થઈને અમદાવાદ શહેરમાં ખરીદી કરવા, ફરવા અથવા પોતાના અન્ય અગત્યના કામો પતાવવા માટે જઈ શકશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી કાર્યાલય, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

રેલવે તંત્રના જણાવ્યાનુસાર, ક્લોક રૂમની સરખામણીએ આ ડિજિટલ લગેજ લોકર સેવા મુસાફરોને વધુ સુરક્ષિત, ઓટોમેટેડ અને સરળ ટૅક્નોલૉજી આધારિત સુવિધા પૂરી પાડે છે.