Get The App

ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે

બોલીવુડ, ઉદ્યોગ જગત અને મોટાપ્રમાણમાં રાજકીય લોકો આવશે

સ્ટેડિયમ પાસે ખાસ કંટ્રોલરૂમ તૈયાર કરીને ૩૦૦થી વધુ સીસીટીવીથી મોનીટરીંગ કરાશેઃ ક્રાઇમબ્રાંચને સ્ટેડિમયની અંદરની જવાબદારી સોંપાઇ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે 1 - image

અમદાવાદ, શુક્રવાર

આગામી રવિવારે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલ મેચ યોજાશે. જે અનુસંધાનમાં અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં જેસીપીના સુપરવિઝનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત બે હજાર પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.  આ ઉપરાંત, સ્ટેડિયમની આસપાસ તેમજ સ્ટેડિમયમમાં રહેલા કુલ ૩૦૦થી વધુ કેમેરાથી ખાસ કંટેલરૂમથી નજર રાખવામાં આવશે. મેચમાં મોટાપ્રમાણમાં વીવીઆઇપી આવવાના હોવાથી  પ્રોટોકોલ અને સુરક્ષાના અનુસંધાનમાં સિનિયર આઇપીએસ અધિકારીને પણ ખાસ જવાબદારી સોંપી છેે.

ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં બે હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રહેશે 2 - imageટી-૨૦ વિશ્વ કપની ફાઇમલ મેચ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી રવિવારે યોજવામાં આવનાર છે. જેમાં ખુબ મોટાપ્રમાણમાં બોલીવુડના કલાકારો અને વ્યક્તિઓ, ઉદ્યોગપતિઓ અને મોટા રાજકીય નેતા આવવાના છે. આ ઉપરાંત, એક લાખથી વધારે પ્રેક્ષકો પણ હશે. ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમની સુરક્ષાથી માંડીને સ્ટેડિયમમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા એક્શનપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

જેમાં જેસીપીની સુપરવિઝનમાં સાત ડીસીપી, ૧૦ એસીપી, ૨૫ પોલીસ ઇન્સ્પેક્ટર, ૭૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ૧૫૦૦ જેટલા પોલીસ સ્ટાફ મળીને બે હજાર જેટલા પોલીસને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, બોંબ ડીસ્પોઝલ સ્ક્વોડની ચાર ટીમ, એનડીઆરએફની  એક ટીમ સ્ટેડિયમ ખાતે રહેશે. સ્ટેડિમયની અંદર અને આસપાસ વોચ રાખી શકાય તે માટે પોલીસ દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે. જેના દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. ક્રાઇમબ્રાંચને સ્ટેડિયમની અંદરની સુરક્ષા માટે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિક વ્યવસ્થા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે એક જેસીપી કક્ષાના અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. આ બંદોબસ્તમાં  ૩ ડીસીપી, એસીપી અને પીઆઇ સહિત કુલ ૮૦૦ જેટલા ટ્રાફિક વિભાગના પોલીસ કર્મીઓ પણ તૈનાત રહેશે.