Gujarat

નર્મદ યુનિવર્સિટી દ્વારા 22 થી પી.જીમાં પ્રવેશ પ્રકિયા શરૃ કરાશે

By GS Team
20 Jan 20221 min read
This article was originally published on 20 Jan 2022
નર્મદ યુનિવર્સિટી દ્વારા 22 થી પી.જીમાં પ્રવેશ પ્રકિયા શરૃ કરાશે

                સુરત

નર્મદ યુનિવર્સિટી દ્વારા પોસ્ટ ગ્રેજયુએશનના વિવિધ કોર્સમાં આગામી 2022-23 ના નવા શૈક્ષણિક વર્ષથી પ્રવેશ માટે અત્યારથી જ પ્રોવિઝનલ પ્રવેશ પ્રકિયા શરૃ કરી દેવાઇ છે. આગામી 22 જાન્યુઆરી થી 28 મી ફેબુ્રઆરી સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.

નર્મદ યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે પોસ્ટ ગ્રેજયુએશનમાં પ્રોવિઝનલ પ્રવેશ આપવાનું નક્કી કરાયુ છે. વિદ્યાર્થીઓ સેમેસ્ટર સિસ્ટમમાં ભણતા હોવાથી એક થી ચાર સેમેસ્ટરના કુલ ગુણના ભારાંક પચાસ ટકા તથા પાંચમા સેમેસ્ટરના કુલ ગુણના ભારાંક પચાસ ટકા ઘ્યાને રાખીને પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીઓની એડમીશન ફોર્મ ભરવાની પ્રકિયાને પ્રોવિઝનલ ગણાશે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા બાદ જો છેલ્લી પરીક્ષામાં નાપાસ થશે તો યુનિવર્સિટી આપોઆપ એડમીશનલ રદ કરી દેશે. વિદ્યાર્થીઓએ હાલ તો પાંચમાં સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ જ ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે રૃા.૨૦૦ પ્રોસેસીંગ ફી ભરવાની રહેશે.