કાલાવડ ટાઉનમાં રહેતા અને ટોડા સોસાયટીમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા કિશોર સુરાભાઈ ચંદ્રપાલ નામના ૪૫ વર્ષના યુવાનને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી લાગુ પડી હતી, અને તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગઈકાલે કેન્સરની બીમારીના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી કરસનભાઈ અમરાભાઇ ચંદ્રપાલે પોલીસને જાણ કરતાં કાલાવડ ના એએસઆઈ વી.ડી. ઝાપડીયા એ તેઓના મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ કરાવી આ બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


