Get The App

કાલાવડ ટાઉનમાં રહેતા અને કેન્સરની બીમારીમાં સપડાયેલા એક યુવાનનું અપમૃત્યુ

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
કાલાવડ ટાઉનમાં રહેતા અને કેન્સરની બીમારીમાં સપડાયેલા એક યુવાનનું અપમૃત્યુ 1 - image

કાલાવડ ટાઉનમાં રહેતા અને ટોડા સોસાયટીમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા કિશોર સુરાભાઈ ચંદ્રપાલ નામના ૪૫ વર્ષના યુવાનને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી લાગુ પડી હતી, અને તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ગઈકાલે કેન્સરની બીમારીના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના સંબંધી કરસનભાઈ અમરાભાઇ ચંદ્રપાલે પોલીસને જાણ કરતાં કાલાવડ ના એએસઆઈ વી.ડી. ઝાપડીયા એ તેઓના મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ કરાવી આ બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.