Get The App

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી

અરજદાર જમીનના કેસમાં વાંધા રજૂ ના કરી શકે તે માટે નોટિસ મેળવી લેનાર ૩ દિવસ પછી પણ પોલીસને મળતો નથી

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી  નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી 1 - image

વડોદરા,ડી.આઇ.એલ.આર. કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ અરજદાર સુધી ના પહોંચે તે માટે પોસ્ટ ઓફિસ અને સોસાયટીના સિક્યુપરિટી ગાર્ડ પાસેથી નોટિસ લઇ લેનાર સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

ઇલોરાપાર્ક મમતા સોસાયટી, વ્હાઇટ એસ. માં રહેતા મનીષ સુરેન્દ્રલાલ દીક્ષિત ખેતીકામ તથા સલાહકાર તરીકે કામ કરે છે. ગોરવા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ભાયલી ખાતે આવેલી જમીન ખરીદવા માટે વર્ષ - ૨૦૨૦ માં મને ચેતનાબેન અશ્વિનભાઇ પટેલ તથા અશ્વિનભાઇ  ત્રિભુવનભાઇ પટેલ  પાસેથી દસ્તાવેજ કરવા માટે લખાણ કર્યું હતું. લખાણના આધારે તેઓ મને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોઇ મેં દસ્તાવેજ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. હું વાંધા  રજૂ ના કરી શકું  તેમજ મારી જમીન પચાવી  પાડવા માટે  ડી.આઇ.એલ.આર. કચેરી દ્વારા બે વખત ઇશ્યૂ થયેલી નોટિસ આરોપી ચિરાગ જયેન્દ્રસિંહ સોલંકી (રહે. અનુપમ એપાર્ટમેન્ટ,  પટેલ કોલોની, ઉર્મિ રોડ, અકોટા) દ્વારા પોસ્ટ ઓફિસ અને મારા ઘરના સિક્યુરિટી ગાર્ડ પાસેથી બારોબાર લઇ લેવામાં આવી હતી. આ જમીન ૩.૧૨લાખ ચોરસ ફૂટ છે. જેની અંદાજીત કિંમત ૨૪ કરોડ થાય છે.   ઉલ્લેખનીય છે કે, ગુનો દાખલ થયાના ૩ દિવસ પછી પણ તે પોલીસની પહોંચથી દૂર છે.