Get The App

સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડીની બહેનોની 3 દિવસની હડતાલ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડીની બહેનોની 3 દિવસની હડતાલ 1 - image

તમામ તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડીની બહેનોનો વિરોધ

પગાર વધારો, નવા મોબાઇલ ફોન આપવા સહિતની પડતર માગણીઓ નહીં ઉકેલાતા વિરોધ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

સુરેન્દ્રનગર,-સુરેન્દ્રનગર જિલ્લાની ૧૩૫૫ આંગણવાડીની ૨૭૧૦ મહિલા કર્મચારીઓએ પગાર વધારો, નવા મોબાઇલ ફોન આપવા સહિતની વિવિધ પડતાર માગણીઓ નહીં ઉકેલાતા હડતાલ પર ઉતરી છે. વઢવાણ તાલુકા પંચાયત ખાતે આંગણવાડી સંચાલકો અને વર્કરોએ ચૂંટણી બહિષ્કારની પણ ચિમકી આપી હતી. ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કરાશે.

જિલ્લામાં ૧૩૫૫ આંગણવાડીમાં ૨૦ હજારથી વધુ બાળકો લાભ લે છે. આ ઉપરાંત આંગણવાડીની બહેનો ઓનલાઈન કામગીરી પણ કરી રહી છે અને ડેટા એન્ટ્રીની કામગીરી પણ આ બહેનો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ૨૦૧૮ ના વર્ષ પછી નવા મોબાઈલની ફાળવણી નથી કરવામાં આવી અને કોર્ટના આદેશ પ્રમાણે તેમને વેતન પણ નથી આપવામાં આવી રહ્યું ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાની ૨૭૧૦ જેટલી બહેનો તમામ અલગ અલગ તાલુકા પંચાયત ખાતે એકઠી થઈ અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે.

આજથી ત્રણ દિવસ સુધી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે છતાં પણ સરકાર કોઈ નિર્ણય નહીં કરે અથવા પગાર વધારો નવા મોબાઈલ આપવાની માંગ છે અને વસ્તુના બિલો સમયસર ચુકવણી કરવા ની માંગ છે ત્યારે આ તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો અગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તો તેનો બહિષ્કાર કરવાની ચીમકી પણ બહેનો દ્વારા આપવામાં આવી છે.

ત્રણ દિવસની હડતાલ પાડયા બાદ બહેનો દ્વારા ધારણા પ્રદર્શન રેલી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રજૂઆત ધારણા પ્રદર્શન રેલી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવશે તે અંગેનીતે અંગેની તૈયારીઓ હાલના તબક્કામાં હડતાલ પાડી હોવાના કારણે તેની અસર આંગણવાડીમાં આવતા બાળકો ઉપર પડી રહી છે.