Gujarat
અમદાવાદમાં કોરોનાના નવા ૨૫૨ કેસ,ત્રણ દર્દીનાં મોત
By GS Team
17 Feb 20221 min read
This article was originally published on 17 Feb 2022

અમદાવાદ,ગુરુવાર,17 ફેબ્રુ,2022
અમદાવાદમાં ગુરુવારે દૈનિક કેસમાં બાવન કેસનો ઘટાડો થતા નવા
૨૫૨ કેસ અને ત્રણ દર્દીનાં મોત નોંધાયા હતા.ગુરુવારે કોરોનાના વધુ ૭૨૫ દર્દી સાજા
થયા હતા.નવુ એક પણ સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યુ નથી.શહેરના તમામ
રસીકરણ કેન્દ્રો ઉપરથી ૨૦૧૯ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૧૬૨૧ લોકોને
કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.૧૨૫૩ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો
હતો.કુલ ૧૪૮૯૩ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.૧૫ થી ૧૮ વર્ષની વયના ૪૬૧
બાળકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૪૫૮૩ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો
હતો.




