સાઉથના ફિલ્મ ડિરેક્ટરોના કારણે જ બોલિવૂડ ફરી ઊભું થયું, નગા વામસી અને બોની કપૂર વચ્ચે શાબ્દિક યુદ્ધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

South Cinema VS Bollywood: નોર્થ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ નિર્માતા બોની કપૂર અને નગા વામસી વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થયું છે. એક વાતચીત દરમિયાન લકી ભાસ્કરના નિર્માતા નગા વામસીએ કહ્યું કે, તેલુગુ ફિલ્મ નિર્માતાઓએ હિન્દી સિનેમાને બદલી નાખ્યું છે. કારણ કે, હિન્દી ફિલ્મ નિર્માતાઓ માત્ર બાંદ્રા અને જુહુ માટે જ ફિલ્મો બનાવવામાં અટવાયેલા હતા. જોકે આ મુલાકાત દરમિયાન બોની કપૂરે હિન્દી ફિલ્મોનો બચાવ કર્યો હતો.
ફિલ્મો વિદેશી વેપરનો મહત્ત્વનો ભાગ
બીજી બાજુ બોની કપૂરે પણ સમગ્ર વિશ્વમાં હિન્દી અને તેલુગુ ફિલ્મોના પ્રભાવ વિશે વાત કરી છે. ફિલ્મ નિર્માતાએ કહ્યું, 'ઉદાહરણ તરીકે, રાજ કપૂરને આજે પણ રશિયામાં યાદ કરવામાં આવે છે. જ્યારે હું ઈજિપ્ત ગયો ત્યારે તેઓએ માત્ર અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન વિશે જ વાત કરી. અમિતાભ બચ્ચનનું નામ મોરોક્કોમાં લોકપ્રિય છે. મોરોક્કોમાં રાજાએ પહેલા અમિતાભ અને બાદમાં શાહરૂખ ખાનનું સન્માન કર્યું હતું. તેલુગુ ફિલ્મો અને તમિલ ફિલ્મોનું એક અનોખું બજાર છે. ઉદાહરણ તરીકે તેલુગુ ફિલ્મોનું અમેરિકામાં અનોખું બજાર છે, જ્યારે તમિલ ફિલ્મો સિંગાપોર અને મલેશિયામાં મજબૂત હાજરી ધરાવે છે. આ વિદેશી વેપારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.'
આ પણ વાંચોઃ ભારતની સૌથી ધનિક અભિનેત્રી, કિંગ ખાન સાથે કરે છે બિઝનેસ, નેટવર્થનો આંકડો ચોંકાવનારો
તમે ફક્ત બાંદ્રા અને જુહુ માટે ફિલ્મો બનાવતા
બોનીની વાત સાંભળીને વામસીએ કહ્યું કે, 'મારે આમાં કંઈક ઉમેરવું છે. તે થોડું કઠોર લાગશે, પરંતુ અમે દક્ષિણ ભારતીયોએ સિનેમા જોવાની રીત બદલી છે, બોલિવૂડ માટે પણ. કારણ કે તમે લોકો બાંદ્રા અને જુહુ માટે ફિલ્મો બનાવવામાં જ અટવાયેલા હતા. ઉદાહરણ સાથે કહુ તો, હવે આરઆરઆર, બાહુબલી, એનિમલ, જવાન વગેરેએ ફિલ્મોનું વર્ઝન બદલ્યું છે. મુગલ-એ-આઝમ પછી તમે બાહુબલી અને આરઆરઆર જેવી ફિલ્મોનું નામ લીધું, જે તેલુગુ ફિલ્મો હતી. તમે વાસ્તવમાં મુગલ-એ-આઝમ પછી કોઈ હિન્દી ફિલ્મના નામ વિશે વાત જ નથી કરી.' વામસીએ તારણ કાઢ્યું હતું કે, તેલુગુ નિર્દેશકો દ્વારા નિર્દેશિત હિન્દી ફિલ્મોએ વર્ષોથી વધુ સારું પ્રદર્શન કર્યું છે.
બોનીએ આ વિશે પોતાનો પક્ષ મુકતા કહ્યું કે, 'ત્યારે હું ઐતિહાસિક બાબતો વિશે વાત કરતો હતો. જુઓ, આપણે આ ફોરમ પર આપણા જ્ઞાનના દરેક ભાગની ચર્ચા કરી શકતા નથી. આપણે ફક્ત વ્યાપક શબ્દોમાં વાત કરવાની છે. તેથી જ્યારે હું મુગલ-એ-આઝમ, બાહુબલી અને તમામનો ઉલ્લેખ કરું છું ત્યારે એવું નથી કે હું તે ફિલ્મો ચૂકી ગયો. હું તેમને જાણું છું પરંતુ તેનો અર્થ એવો નથી કે તેલુગુ ફિલ્મોએ ભારતીય સિનેમાને શીખવ્યું છે.'
આ પણ વાંચોઃ કેન્સરને કારણે દિગ્ગજ અભિનેતાની હાલત આવી થઈ, બ્લેડર હટાવાયું, હવે ઓળખવો પણ મુશ્કેલ
વામસીએ ફરીથી બોનીને અટકાવીને કહ્યું, શીખવ્યું નથી સર, આ સામૂહિક, વિશાળ ઇવેન્ટ ફિલ્મોને કારણે જ અમે હિન્દી સિનેમાને ફરીથી શોધ્યું. જોકે, આ વિશે બોનીએ નગા વામસીને અલ્લુ અર્જુનના ઈન્ટરવ્યૂની યાદ અપાવી જેમાં તેણે અમિતાભ બચ્ચનના મોટા પ્રશંસક હોવાનો દાવો કર્યો હતો.




