Get The App

કાર્તિક-શ્રીલીલાની ફિલ્મનું હજુ 45 દિવસનું જ શૂટિંગ પત્યું

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
કાર્તિક-શ્રીલીલાની ફિલ્મનું હજુ 45 દિવસનું જ શૂટિંગ પત્યું 1 - image

- હજુ ઘણુ શૂટિંગ બાકી હોવાની કબૂલાત  

- ફિલ્મનું શૂટિંગ ધીમું ચાલી રહ્યું હોવાથી રીલિઝમાં પણ વિલંબ થવાની શક્યતા 

મુંબઇ : કાર્તિક આર્યન અને શ્રીલીલાની ફિલ્મ 'તુ મેરી ઝિંદગી હૈ'નું શૂટિંગ હજુ અડધે જ પહોંચ્યું છે. આથી, આ ફિલ્મની રીલિઝમાં વિલંબ થાય તેવી સંભાવના છે. 

અનુરાગ  બાસુએ  કબુલ્યું હતું કે,  આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ  પુરુ થઇ ગયું હોવાની  વાત માત્ર અફવા છે. હજુ તો આ ફિલ્મનું શૂટિંગ  પ્રારંભિક ચરણમાં જ છે. હજુ ફક્ત ૪૫ દિવસનું જ શૂટિંગ થયું છે. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ ફિલ્મનાં શૂટિંગની કેટલીક  તસવીરો વાયરલ થઈ હતી. બાદમાં એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મનું મોટાભાગનુ શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.